Gujarat Elections 2022: કોંગ્રેસનો દાવો ગુજરાતમાં ભાજપ તો 70 બેઠકમાં સમેટાઇ જશે


  • Published By :
  • Published Date : 2022-10-23 17:56:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ જીતનો દાવો કરી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં 70થી વધારે સીટો આવતી નથી. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી. જે કોઈ મેળાવડા કરવાના થાય એ માત્રને માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ થાય અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ જે કાર્યક્રમો થાય છે. તે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે.


દિવાળી બાદ કોંગ્રેસે ઉમેદવારો પહેલી યાદી જાહેર થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તાજેતરમાં દિલ્હી ગયા હતા. દિલ્હીમાં રઘુ શર્માએ કેન્દ્રીય નેનૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ સ્કિનીંગ કમિટી બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં રઘુ શર્મા સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે દિવાળી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.