Gujarat : સ્માર્ટ મીટરના વધતા વિવાદ વચ્ચે ગુજરાત સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટરની સાથે સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે...


  • Published By :
  • Published Date : 2024-05-21 18:19:10

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સ્માર્ટ મીટર અંગેના સમાચારો સાંભળ્યા હશે.. અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ થયો.. અનેક વીડિયો આવા વિરોધના તમે જોયા હશે.. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં કરવામાં આવેલું રિચાર્જ થોડા સમયની અંદર પૂર્ણ થઈ જાય છે.. લાઈટ બિલ વધારે આવે છે તેવી વાતો લોકોના મુખેથી સાંભળી હશે.. વિરોધ શાંત થવાની બદલીમાં દિવસેને દિવસે વધી રહ્યો હતો. જે બાદ સ્માર્ટ મીટરને લઈ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને લોકોને ભરોસો આવે...


રાજ્યના અનેક શહેરોમાં લાગ્યા છે સ્માર્ટ મીટર 

દેશના અનેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે.. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. જેમ ફોનમાં પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ પહેલા રિચાર્જ કરાવાનું રહેશે. જેવું મીટર હમણાં છે તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ કામ કરશે. લોકોને જાણકારી મેળવવામાં સરળતા મળે તે માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી થોડા દિવસ પહેલા સામે આવી હતી.


લોકોની ગેરસમજ દૂર કરવા માટે સરકારે લીધો આ નિર્ણય

જેમના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેમનું લાઈટ બિલ વધારે આવવા લાગ્યું.. રિચાર્જ જલ્દી પૂર્ણ થઈ જાય છે તેવી વાતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.. વિરોધ પણ કરવામાં આવ્યો છે.. સ્માર્ટ મીટરને લઈ લોકોની ગેરસમજ દૂર થાય તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગેરસમજને દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટરો પણ લગાવવમાં આવશે..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.