Gujarat : સ્માર્ટ મીટરના વધતા વિવાદ વચ્ચે ગુજરાત સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટરની સાથે સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે...


  • Published By :
  • Published Date : 2024-05-21 18:19:10

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સ્માર્ટ મીટર અંગેના સમાચારો સાંભળ્યા હશે.. અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ થયો.. અનેક વીડિયો આવા વિરોધના તમે જોયા હશે.. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં કરવામાં આવેલું રિચાર્જ થોડા સમયની અંદર પૂર્ણ થઈ જાય છે.. લાઈટ બિલ વધારે આવે છે તેવી વાતો લોકોના મુખેથી સાંભળી હશે.. વિરોધ શાંત થવાની બદલીમાં દિવસેને દિવસે વધી રહ્યો હતો. જે બાદ સ્માર્ટ મીટરને લઈ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને લોકોને ભરોસો આવે...


રાજ્યના અનેક શહેરોમાં લાગ્યા છે સ્માર્ટ મીટર 

દેશના અનેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે.. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. જેમ ફોનમાં પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ પહેલા રિચાર્જ કરાવાનું રહેશે. જેવું મીટર હમણાં છે તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ કામ કરશે. લોકોને જાણકારી મેળવવામાં સરળતા મળે તે માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી થોડા દિવસ પહેલા સામે આવી હતી.


લોકોની ગેરસમજ દૂર કરવા માટે સરકારે લીધો આ નિર્ણય

જેમના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેમનું લાઈટ બિલ વધારે આવવા લાગ્યું.. રિચાર્જ જલ્દી પૂર્ણ થઈ જાય છે તેવી વાતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.. વિરોધ પણ કરવામાં આવ્યો છે.. સ્માર્ટ મીટરને લઈ લોકોની ગેરસમજ દૂર થાય તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગેરસમજને દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટરો પણ લગાવવમાં આવશે..   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે