Gujarat : સ્માર્ટ મીટરના વધતા વિવાદ વચ્ચે ગુજરાત સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટરની સાથે સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે...


  • Published By :
  • Published Date : 2024-05-21 18:19:10

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સ્માર્ટ મીટર અંગેના સમાચારો સાંભળ્યા હશે.. અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ થયો.. અનેક વીડિયો આવા વિરોધના તમે જોયા હશે.. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં કરવામાં આવેલું રિચાર્જ થોડા સમયની અંદર પૂર્ણ થઈ જાય છે.. લાઈટ બિલ વધારે આવે છે તેવી વાતો લોકોના મુખેથી સાંભળી હશે.. વિરોધ શાંત થવાની બદલીમાં દિવસેને દિવસે વધી રહ્યો હતો. જે બાદ સ્માર્ટ મીટરને લઈ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને લોકોને ભરોસો આવે...


રાજ્યના અનેક શહેરોમાં લાગ્યા છે સ્માર્ટ મીટર 

દેશના અનેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે.. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. જેમ ફોનમાં પહેલા રિચાર્જ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ પહેલા રિચાર્જ કરાવાનું રહેશે. જેવું મીટર હમણાં છે તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ કામ કરશે. લોકોને જાણકારી મેળવવામાં સરળતા મળે તે માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેવી માહિતી થોડા દિવસ પહેલા સામે આવી હતી.


લોકોની ગેરસમજ દૂર કરવા માટે સરકારે લીધો આ નિર્ણય

જેમના ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેમનું લાઈટ બિલ વધારે આવવા લાગ્યું.. રિચાર્જ જલ્દી પૂર્ણ થઈ જાય છે તેવી વાતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.. વિરોધ પણ કરવામાં આવ્યો છે.. સ્માર્ટ મીટરને લઈ લોકોની ગેરસમજ દૂર થાય તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગેરસમજને દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટરો પણ લગાવવમાં આવશે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.