હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરી મુદ્દે શહેરની સ્કૂલોને DEOએ પરિપત્ર પાઠવ્યો, જાણો શું હુકમ કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 11:56:11

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈ ગુજરાત હાઈકોર્ટ વધુ કડક વલણ અપનાવી રહી છે. હવે હાઈકોર્ટે ચાઈનીઝ દોરી માટે લોકોને જાગ્રત કરવા માટે અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન કર્યું છે. 


હાઈકોર્ટના સૂચન બાદ DEO એક્સનમાં


ગુજરાત હાઈકોર્ટે શહેરના મુખ્ય શિક્ષણ અધિકારીને ચાઈનીઝ દોરીને લઈ જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન મળ્યા બાદ ડીઈઓએ તમામ સ્કૂલોના આચાર્યને પરિપત્ર પાઠવ્યો છે. આ પરિપત્ર મુજબ સ્કૂલોના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. 


હાઈકોર્ટનું આકરૂ વલણ


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ વધી રહ્યું છે. આ ચાઈનીઝ દોરીના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સાથે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. આ ચાઈનીઝ દોરી જીવલેણ પણ બની છે, ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે HCએ માહિતી માંગી હતી.


રાજ્ય સરકારે શું જવાબ આપ્યો? 


ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીને લઈ ઉગ્ર શબ્દોમાં ફટકાર લગાવતા અંતે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. હાઈકોર્ટે જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને DGPએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.