હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરી મુદ્દે શહેરની સ્કૂલોને DEOએ પરિપત્ર પાઠવ્યો, જાણો શું હુકમ કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 11:56:11

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈ ગુજરાત હાઈકોર્ટ વધુ કડક વલણ અપનાવી રહી છે. હવે હાઈકોર્ટે ચાઈનીઝ દોરી માટે લોકોને જાગ્રત કરવા માટે અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન કર્યું છે. 


હાઈકોર્ટના સૂચન બાદ DEO એક્સનમાં


ગુજરાત હાઈકોર્ટે શહેરના મુખ્ય શિક્ષણ અધિકારીને ચાઈનીઝ દોરીને લઈ જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન મળ્યા બાદ ડીઈઓએ તમામ સ્કૂલોના આચાર્યને પરિપત્ર પાઠવ્યો છે. આ પરિપત્ર મુજબ સ્કૂલોના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. 


હાઈકોર્ટનું આકરૂ વલણ


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ વધી રહ્યું છે. આ ચાઈનીઝ દોરીના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સાથે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. આ ચાઈનીઝ દોરી જીવલેણ પણ બની છે, ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે HCએ માહિતી માંગી હતી.


રાજ્ય સરકારે શું જવાબ આપ્યો? 


ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીને લઈ ઉગ્ર શબ્દોમાં ફટકાર લગાવતા અંતે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. હાઈકોર્ટે જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને DGPએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.