ગાંધી આશ્રમનું રી-ડેવલપમેન્ટ શક્ય બનશે, હાઈકોર્ટે આપી લીલીઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:58:23


ગુજરાત હાઈકોર્ટે આજે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલીઝંડી આપતા આશ્રમના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી-ડેવલપમેન્ટને હાઇકોર્ટે છૂટ આપી છે. જેમાં મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે અને બાકીના વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ થશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી પણ આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી કાનુની લડાઈ બાદ આ  વિવાદનો આજે સુ:ખદ ઉકેલ આવ્યો છે. 


આશ્રમ વિકાસ અંગે સરકારનો પ્લાન શું છે?


ગાંધીજી સ્થાપેલા સાબરમતી આશ્રમને વર્ષ 1917માં 100 વર્ષ પુરા થયા ત્યારે સરકારે તેને  રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના બાંધકામોમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. એ ઉપરાંત આશ્રમમાં ઘણા પરિવારો ગાંધીજીના સમયથી રહે છે. રી-ડેવલપમેન્ટ માટે એ પરિવારોને બહાર ખસેડવા પડે તે અનિવાર્ય હતું. આ પરિવારો હટવા તૈયાર ન હતા અને તે વગર આશ્રમનું નવીનીકરણ થઈ ન શકે. આશ્રમના માળખામાં ફેરફાર ન થાય અને ખાસ તો ત્યાં રહેતા પરિવારોને બહાર ન જવું પડે એ માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર જોકે ત્યાંથી સ્થળાંતરિત થતા દરેક પરિવારને પુરતું વળતર આપવા તૈયાર છે. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા લોકો આ નવીનીકરણના પ્લાનનો વિરોધ કરી રહ્યા હતા. જો કે હવે હાઈકોર્ટે સરકારને આશ્રમના મૂળ માળખાને નુકસાન ન પહોંચે એ રીતે નવીનીકરણ કરવાની છૂટ આપી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.