ગાંધી આશ્રમનું રી-ડેવલપમેન્ટ શક્ય બનશે, હાઈકોર્ટે આપી લીલીઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:58:23


ગુજરાત હાઈકોર્ટે આજે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલીઝંડી આપતા આશ્રમના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી-ડેવલપમેન્ટને હાઇકોર્ટે છૂટ આપી છે. જેમાં મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે અને બાકીના વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ થશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી પણ આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી કાનુની લડાઈ બાદ આ  વિવાદનો આજે સુ:ખદ ઉકેલ આવ્યો છે. 


આશ્રમ વિકાસ અંગે સરકારનો પ્લાન શું છે?


ગાંધીજી સ્થાપેલા સાબરમતી આશ્રમને વર્ષ 1917માં 100 વર્ષ પુરા થયા ત્યારે સરકારે તેને  રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના બાંધકામોમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. એ ઉપરાંત આશ્રમમાં ઘણા પરિવારો ગાંધીજીના સમયથી રહે છે. રી-ડેવલપમેન્ટ માટે એ પરિવારોને બહાર ખસેડવા પડે તે અનિવાર્ય હતું. આ પરિવારો હટવા તૈયાર ન હતા અને તે વગર આશ્રમનું નવીનીકરણ થઈ ન શકે. આશ્રમના માળખામાં ફેરફાર ન થાય અને ખાસ તો ત્યાં રહેતા પરિવારોને બહાર ન જવું પડે એ માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર જોકે ત્યાંથી સ્થળાંતરિત થતા દરેક પરિવારને પુરતું વળતર આપવા તૈયાર છે. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા લોકો આ નવીનીકરણના પ્લાનનો વિરોધ કરી રહ્યા હતા. જો કે હવે હાઈકોર્ટે સરકારને આશ્રમના મૂળ માળખાને નુકસાન ન પહોંચે એ રીતે નવીનીકરણ કરવાની છૂટ આપી છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .