ગાંધી આશ્રમનું રી-ડેવલપમેન્ટ શક્ય બનશે, હાઈકોર્ટે આપી લીલીઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:58:23


ગુજરાત હાઈકોર્ટે આજે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલીઝંડી આપતા આશ્રમના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી-ડેવલપમેન્ટને હાઇકોર્ટે છૂટ આપી છે. જેમાં મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે અને બાકીના વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ થશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી પણ આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી કાનુની લડાઈ બાદ આ  વિવાદનો આજે સુ:ખદ ઉકેલ આવ્યો છે. 


આશ્રમ વિકાસ અંગે સરકારનો પ્લાન શું છે?


ગાંધીજી સ્થાપેલા સાબરમતી આશ્રમને વર્ષ 1917માં 100 વર્ષ પુરા થયા ત્યારે સરકારે તેને  રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના બાંધકામોમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. એ ઉપરાંત આશ્રમમાં ઘણા પરિવારો ગાંધીજીના સમયથી રહે છે. રી-ડેવલપમેન્ટ માટે એ પરિવારોને બહાર ખસેડવા પડે તે અનિવાર્ય હતું. આ પરિવારો હટવા તૈયાર ન હતા અને તે વગર આશ્રમનું નવીનીકરણ થઈ ન શકે. આશ્રમના માળખામાં ફેરફાર ન થાય અને ખાસ તો ત્યાં રહેતા પરિવારોને બહાર ન જવું પડે એ માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર જોકે ત્યાંથી સ્થળાંતરિત થતા દરેક પરિવારને પુરતું વળતર આપવા તૈયાર છે. અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા લોકો આ નવીનીકરણના પ્લાનનો વિરોધ કરી રહ્યા હતા. જો કે હવે હાઈકોર્ટે સરકારને આશ્રમના મૂળ માળખાને નુકસાન ન પહોંચે એ રીતે નવીનીકરણ કરવાની છૂટ આપી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .