શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શિક્ષણનો વિરોધ કરનારી PIL અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:15:37

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર અને કેન્દ્રને પાઠ્યક્રમનો ભાગ બનાવવા ઉપરાંત શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાને તેમના પ્રાર્થના કાર્યક્રમોમાં અને શ્લોક પઠન દ્વારા રજૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી PILનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે ગુરુવારે સરકાર પાસેથી 3 જુલાઈ સુધીમાં જવાબ  રજુ કરવાનો આદેશ કર્યો હતો, આ મામલે વધુ સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.


જમિયત ઉલમા-એ-હિંદે કરી PIL


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલા નિર્ણયને જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા આ મામલે  PIL દાખલ કરવામાં આવી હતી.  PILમાં શાળાના બાળકો માટે હિંદુઓનું ધાર્મિક પુસ્તક નર્ધારીત કરવાને લઈ વાંધો ઉઠ્યો છે. આ રીતે બંધારણના સમાનતા, બંધુત્વ અને બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાતોનું હનન થઈ રહ્યું છે, અને તેને ખતમ કરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


શિક્ષણ સંસ્થાઓમાં ગીતા પાઠનો વિરોધ


જમિયતે શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના મૂલ્યો/સિદ્ધાંતો શીખવવાના પ્રસ્તાવને રદ કરવાની અને વર્તમાન શૈક્ષણિક વર્ષથી 6 થી 12 ના વર્ગો માટે વાર્તાઓ, શ્લોક પઠન અને પ્રાર્થના દ્વારા તેને ફરજિયાત રીતે ભણાવવાના પ્રસ્તાવને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.


બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન


અરજીકર્તા સંગઠને સરકારના આ નિર્ણયને " સત્તાનો એક રંગીન કવાયત" અને બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે આ ધર્મ નિર્પેક્ષતાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે, જે બંધારણનો મૂળ વિશેષતા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે એક ધાર્મિક પાઠની શરૂઆત રાષ્ટ્રિય શિક્ષણ નિતીથી વિપરીત છે. જે હંમેશા ધર્મનિર્પેક્ષ રહી છે, અને શાળાઓમાં ધાર્મિક શિક્ષણના નિષેધનું પાલન કરે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.