શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શિક્ષણનો વિરોધ કરનારી PIL અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:15:37

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર અને કેન્દ્રને પાઠ્યક્રમનો ભાગ બનાવવા ઉપરાંત શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાને તેમના પ્રાર્થના કાર્યક્રમોમાં અને શ્લોક પઠન દ્વારા રજૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી PILનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે ગુરુવારે સરકાર પાસેથી 3 જુલાઈ સુધીમાં જવાબ  રજુ કરવાનો આદેશ કર્યો હતો, આ મામલે વધુ સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.


જમિયત ઉલમા-એ-હિંદે કરી PIL


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલા નિર્ણયને જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા આ મામલે  PIL દાખલ કરવામાં આવી હતી.  PILમાં શાળાના બાળકો માટે હિંદુઓનું ધાર્મિક પુસ્તક નર્ધારીત કરવાને લઈ વાંધો ઉઠ્યો છે. આ રીતે બંધારણના સમાનતા, બંધુત્વ અને બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાતોનું હનન થઈ રહ્યું છે, અને તેને ખતમ કરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


શિક્ષણ સંસ્થાઓમાં ગીતા પાઠનો વિરોધ


જમિયતે શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના મૂલ્યો/સિદ્ધાંતો શીખવવાના પ્રસ્તાવને રદ કરવાની અને વર્તમાન શૈક્ષણિક વર્ષથી 6 થી 12 ના વર્ગો માટે વાર્તાઓ, શ્લોક પઠન અને પ્રાર્થના દ્વારા તેને ફરજિયાત રીતે ભણાવવાના પ્રસ્તાવને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.


બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન


અરજીકર્તા સંગઠને સરકારના આ નિર્ણયને " સત્તાનો એક રંગીન કવાયત" અને બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે આ ધર્મ નિર્પેક્ષતાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે, જે બંધારણનો મૂળ વિશેષતા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે એક ધાર્મિક પાઠની શરૂઆત રાષ્ટ્રિય શિક્ષણ નિતીથી વિપરીત છે. જે હંમેશા ધર્મનિર્પેક્ષ રહી છે, અને શાળાઓમાં ધાર્મિક શિક્ષણના નિષેધનું પાલન કરે છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.