શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શિક્ષણનો વિરોધ કરનારી PIL અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે માંગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:15:37

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકાર અને કેન્દ્રને પાઠ્યક્રમનો ભાગ બનાવવા ઉપરાંત શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાને તેમના પ્રાર્થના કાર્યક્રમોમાં અને શ્લોક પઠન દ્વારા રજૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી PILનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે ગુરુવારે સરકાર પાસેથી 3 જુલાઈ સુધીમાં જવાબ  રજુ કરવાનો આદેશ કર્યો હતો, આ મામલે વધુ સુનાવણી 3 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.


જમિયત ઉલમા-એ-હિંદે કરી PIL


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલા નિર્ણયને જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, ગુજરાત દ્વારા આ મામલે  PIL દાખલ કરવામાં આવી હતી.  PILમાં શાળાના બાળકો માટે હિંદુઓનું ધાર્મિક પુસ્તક નર્ધારીત કરવાને લઈ વાંધો ઉઠ્યો છે. આ રીતે બંધારણના સમાનતા, બંધુત્વ અને બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાતોનું હનન થઈ રહ્યું છે, અને તેને ખતમ કરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


શિક્ષણ સંસ્થાઓમાં ગીતા પાઠનો વિરોધ


જમિયતે શિક્ષણ સંસ્થાઓમાં ગીતાના મૂલ્યો/સિદ્ધાંતો શીખવવાના પ્રસ્તાવને રદ કરવાની અને વર્તમાન શૈક્ષણિક વર્ષથી 6 થી 12 ના વર્ગો માટે વાર્તાઓ, શ્લોક પઠન અને પ્રાર્થના દ્વારા તેને ફરજિયાત રીતે ભણાવવાના પ્રસ્તાવને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.


બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન


અરજીકર્તા સંગઠને સરકારના આ નિર્ણયને " સત્તાનો એક રંગીન કવાયત" અને બંધારણની કલમ 14 અને 28નું  ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે આ ધર્મ નિર્પેક્ષતાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે, જે બંધારણનો મૂળ વિશેષતા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે એક ધાર્મિક પાઠની શરૂઆત રાષ્ટ્રિય શિક્ષણ નિતીથી વિપરીત છે. જે હંમેશા ધર્મનિર્પેક્ષ રહી છે, અને શાળાઓમાં ધાર્મિક શિક્ષણના નિષેધનું પાલન કરે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.