ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષામાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-16 19:42:02

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી યોજવામાં આવી રહી છે. આ પદ માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની કુલ 1778 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત હાઇકોર્ટે 1778 મદદનીશ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. 


પરીક્ષાની તારીખમાં ફેરફાર શા માટે?


ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી માટે યોજાનાર પરીક્ષા 2 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા આગામી 25 જૂનના રોજ યોજાવાની હતી પરંતું આ જ તારીખે TAT(S)ની મેઈન્સ પરીક્ષા પણ યોજાવાની હોવાથી હાઈકોર્ટે તેની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.


 કેટલી છે કુલ ખાલી જગ્યાઓ?


ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે. જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.


ત્રણ તબક્કામાં પરીક્ષા


ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા ત્રણ તબક્કામાં એટલે કે એલિમિનેશન ટેસ્ટ, મેઈન પરીક્ષા અને પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટમાં યોજાશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.