ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષામાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-16 19:42:02

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી યોજવામાં આવી રહી છે. આ પદ માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની કુલ 1778 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત હાઇકોર્ટે 1778 મદદનીશ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. 


પરીક્ષાની તારીખમાં ફેરફાર શા માટે?


ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી માટે યોજાનાર પરીક્ષા 2 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા આગામી 25 જૂનના રોજ યોજાવાની હતી પરંતું આ જ તારીખે TAT(S)ની મેઈન્સ પરીક્ષા પણ યોજાવાની હોવાથી હાઈકોર્ટે તેની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.


 કેટલી છે કુલ ખાલી જગ્યાઓ?


ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે. જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.


ત્રણ તબક્કામાં પરીક્ષા


ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા ત્રણ તબક્કામાં એટલે કે એલિમિનેશન ટેસ્ટ, મેઈન પરીક્ષા અને પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટમાં યોજાશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.