ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષામાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-16 19:42:02

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી યોજવામાં આવી રહી છે. આ પદ માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની કુલ 1778 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત હાઇકોર્ટે 1778 મદદનીશ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. 


પરીક્ષાની તારીખમાં ફેરફાર શા માટે?


ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી માટે યોજાનાર પરીક્ષા 2 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા આગામી 25 જૂનના રોજ યોજાવાની હતી પરંતું આ જ તારીખે TAT(S)ની મેઈન્સ પરીક્ષા પણ યોજાવાની હોવાથી હાઈકોર્ટે તેની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.


 કેટલી છે કુલ ખાલી જગ્યાઓ?


ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે. જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.


ત્રણ તબક્કામાં પરીક્ષા


ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા ત્રણ તબક્કામાં એટલે કે એલિમિનેશન ટેસ્ટ, મેઈન પરીક્ષા અને પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટમાં યોજાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.