ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષામાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-16 19:42:02

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી યોજવામાં આવી રહી છે. આ પદ માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની કુલ 1778 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત હાઇકોર્ટે 1778 મદદનીશ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. 


પરીક્ષાની તારીખમાં ફેરફાર શા માટે?


ગુજરાત હાઇકોર્ટના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી માટે યોજાનાર પરીક્ષા 2 જુલાઈએ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા આગામી 25 જૂનના રોજ યોજાવાની હતી પરંતું આ જ તારીખે TAT(S)ની મેઈન્સ પરીક્ષા પણ યોજાવાની હોવાથી હાઈકોર્ટે તેની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.


 કેટલી છે કુલ ખાલી જગ્યાઓ?


ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે. જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.


ત્રણ તબક્કામાં પરીક્ષા


ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા ત્રણ તબક્કામાં એટલે કે એલિમિનેશન ટેસ્ટ, મેઈન પરીક્ષા અને પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટમાં યોજાશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.