મહીસાગરના યુવકે ત્રણ વર્ષથી ગુમ થયેલી પત્નીને મેળવવા માટે હાઈકોર્ટમાં કરી હેબિયસ કોર્પસ


  • Published By :
  • Published Date : 2023-04-12 19:22:45

રાજ્યમાં લગ્નોત્સુક યુવકોને તેમની જ્ઞાતિમાં યુવતીઓ ન મળતી હોવાની સમસ્યા સામાજીક ચિંતાનો વિષય બની છે. જો કે હવે યુવતીઓની અછતના કારણે કેટલાક સમાજમાં સાટા પધ્ધતી અને યુવતીઓનું ખરીદ-વેચાણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે યુવકો આદિવાસી વિસ્તારની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. ઘણી વખત આદીવાસી યુવતીઓ સાથે લગ્ન કરનારા યુવકોની પત્નીઓ ગાયબ થવાની ઘટનાઓ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના, લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના એક યુવક હિતેશ કુમાર જયંતિલાલ પટેલની પત્ની રેશ્મા બેન છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયા છે. આ યુવક તેમની પત્ની પાછી મેળવવા માટે હાલ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.


પિયર ગયેલી પત્ની પાછી ન ફરી


હિતેશ કુમાર જયંતિલાલ પટેલના લગ્ન એક દલાલની મદદથી છોટા ઉદેપુરના જોજ ગામની યુવતી રેશ્મા બેન સાથે તા. 28-4-2019ના રોજ થયા હતા. તેમનું દાંપત્યજીવન સારી રીતે ચાલતું હતું તે દરમિયાન તેમની પત્નીને હળવદનો દેવરાજ ગોગાજી રાજપુત અને યુવતીનો નાનો ભાઈ નવીન તેમની સાથે પિયર લઈ ગયા હતા. આ ઘટનાને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તેમની પત્નીનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે ફરિયાદ ન લેતા અંતે હારી-થાકીને હિતેશભાઈએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. તેમ છતાં પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.


હળવદ નજીકના એકમાં ગામ હોવાની આશંકા


હિતેશભાઈએ પોતાની રીતે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની પત્ની હળવદ નજીકના એક ગામ ગોલાસણમાં ગંગાબેન પ્રવિણ કુમાર ધાનક સાથે રહે છે. અહીં તે સ્થાનિક ખેડૂત દેવરાજ ગોગાજી રાજપુતના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરે છે. આ પહેલા પણ હિતેશ ભાઈની પત્ની મહીસાગરના પાનમ પાટીયા ટોલ ટેક્સ બુથના સીસીટીવીમાં જોવા મળી હતી.હિતેશભાઈએ મામલે પોલીસનો સંપર્ક કર્યો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.


CM અને ગૃહમંત્રીને કરી રજુઆત


હિતેશભાઈએ તેમની પત્ની રેશ્માને પાછી મેળવવા માટે છેક CM ઓફિસ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર, સહિતને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તો લુણાવાડા પોલીસ સ્ટેશનમાં  ફેક્સ પણ કરવામાં આવ્યો હતો. આ જ રીતે હર્ષ સંઘવીની ઓફિસે પણ પોલીસને સુચના આપી હતી. જો કે આ રજુઆતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી.


ફરિયાદીએ લગાવ્યા ગંભીર આરોપ


આ કેસના ફરિયાદી હિતેશભાઈ પટેલે હળવદ તાલુકાના ગોલાસણ ગામના રહીશ અને મોટા જમીનદાર દેવરાજ ગોગાજી રાજપુત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જમાવટ સાથે વાત કરતા કહ્યું કે તેમની પત્ની રેશ્માને  દેવરાજ ગોગાજી રાજપુતે જ ગોંધી રાખી છે. તે ઉપરાંત  તેમને ન્યાય નહીં મળતા તેમણે લુણાવાડા પોલીસ, આઈ જી, પોલીસ કમિશ્નર ઓફિસ સહિતના પોલીસ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. આ કેસને ત્રણ વર્ષ થયા અને આ મામલે હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થાય તે બાબત આપણું તંત્ર કેટલી હદે નિર્માલ્ય થયું છે તે દર્શાવે છે.


હિતેશભાઈ જમાવટનો સંપર્ક કર્યો   


ગુમ થયેલી પત્નીને પાછી મેળવવા માટે ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહેલા હિતેશભાઈ પટેલે અંતે જમાવટનો સંપર્ક કર્યો હતો. ન્યાય માટે રઝળપાટ કરતા હિતેશ પટેલના કેસમાં પોલીસ તંત્ર કેમ આટલું નિષ્ક્રિય છે? સીએમ ઓફિસે અને ગૃહ મંત્રીના કાર્યાલયે પણ આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને ફેક્સ કર્યો હોય, હાઈકોર્ટે યુવતીને હાજર કરવાનું કહ્યું હોય તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરી હાથ પર હાથ રાખીને બેસી રહે તે બાબત ખરેખર દુ:ખદ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે