મહીસાગરના યુવકે ત્રણ વર્ષથી ગુમ થયેલી પત્નીને મેળવવા માટે હાઈકોર્ટમાં કરી હેબિયસ કોર્પસ


  • Published By :
  • Published Date : 2023-04-12 19:22:45

રાજ્યમાં લગ્નોત્સુક યુવકોને તેમની જ્ઞાતિમાં યુવતીઓ ન મળતી હોવાની સમસ્યા સામાજીક ચિંતાનો વિષય બની છે. જો કે હવે યુવતીઓની અછતના કારણે કેટલાક સમાજમાં સાટા પધ્ધતી અને યુવતીઓનું ખરીદ-વેચાણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે યુવકો આદિવાસી વિસ્તારની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. ઘણી વખત આદીવાસી યુવતીઓ સાથે લગ્ન કરનારા યુવકોની પત્નીઓ ગાયબ થવાની ઘટનાઓ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના, લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના એક યુવક હિતેશ કુમાર જયંતિલાલ પટેલની પત્ની રેશ્મા બેન છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયા છે. આ યુવક તેમની પત્ની પાછી મેળવવા માટે હાલ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.


પિયર ગયેલી પત્ની પાછી ન ફરી


હિતેશ કુમાર જયંતિલાલ પટેલના લગ્ન એક દલાલની મદદથી છોટા ઉદેપુરના જોજ ગામની યુવતી રેશ્મા બેન સાથે તા. 28-4-2019ના રોજ થયા હતા. તેમનું દાંપત્યજીવન સારી રીતે ચાલતું હતું તે દરમિયાન તેમની પત્નીને હળવદનો દેવરાજ ગોગાજી રાજપુત અને યુવતીનો નાનો ભાઈ નવીન તેમની સાથે પિયર લઈ ગયા હતા. આ ઘટનાને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તેમની પત્નીનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે ફરિયાદ ન લેતા અંતે હારી-થાકીને હિતેશભાઈએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. તેમ છતાં પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.


હળવદ નજીકના એકમાં ગામ હોવાની આશંકા


હિતેશભાઈએ પોતાની રીતે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની પત્ની હળવદ નજીકના એક ગામ ગોલાસણમાં ગંગાબેન પ્રવિણ કુમાર ધાનક સાથે રહે છે. અહીં તે સ્થાનિક ખેડૂત દેવરાજ ગોગાજી રાજપુતના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરે છે. આ પહેલા પણ હિતેશ ભાઈની પત્ની મહીસાગરના પાનમ પાટીયા ટોલ ટેક્સ બુથના સીસીટીવીમાં જોવા મળી હતી.હિતેશભાઈએ મામલે પોલીસનો સંપર્ક કર્યો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.


CM અને ગૃહમંત્રીને કરી રજુઆત


હિતેશભાઈએ તેમની પત્ની રેશ્માને પાછી મેળવવા માટે છેક CM ઓફિસ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર, સહિતને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તો લુણાવાડા પોલીસ સ્ટેશનમાં  ફેક્સ પણ કરવામાં આવ્યો હતો. આ જ રીતે હર્ષ સંઘવીની ઓફિસે પણ પોલીસને સુચના આપી હતી. જો કે આ રજુઆતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી.


ફરિયાદીએ લગાવ્યા ગંભીર આરોપ


આ કેસના ફરિયાદી હિતેશભાઈ પટેલે હળવદ તાલુકાના ગોલાસણ ગામના રહીશ અને મોટા જમીનદાર દેવરાજ ગોગાજી રાજપુત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જમાવટ સાથે વાત કરતા કહ્યું કે તેમની પત્ની રેશ્માને  દેવરાજ ગોગાજી રાજપુતે જ ગોંધી રાખી છે. તે ઉપરાંત  તેમને ન્યાય નહીં મળતા તેમણે લુણાવાડા પોલીસ, આઈ જી, પોલીસ કમિશ્નર ઓફિસ સહિતના પોલીસ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. આ કેસને ત્રણ વર્ષ થયા અને આ મામલે હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થાય તે બાબત આપણું તંત્ર કેટલી હદે નિર્માલ્ય થયું છે તે દર્શાવે છે.


હિતેશભાઈ જમાવટનો સંપર્ક કર્યો   


ગુમ થયેલી પત્નીને પાછી મેળવવા માટે ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહેલા હિતેશભાઈ પટેલે અંતે જમાવટનો સંપર્ક કર્યો હતો. ન્યાય માટે રઝળપાટ કરતા હિતેશ પટેલના કેસમાં પોલીસ તંત્ર કેમ આટલું નિષ્ક્રિય છે? સીએમ ઓફિસે અને ગૃહ મંત્રીના કાર્યાલયે પણ આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને ફેક્સ કર્યો હોય, હાઈકોર્ટે યુવતીને હાજર કરવાનું કહ્યું હોય તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરી હાથ પર હાથ રાખીને બેસી રહે તે બાબત ખરેખર દુ:ખદ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.