ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ, 27 માર્ચ સુધીમાં જવાબ આપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:45:39

ગીર સોમનાથનાં વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડો. અતુલ ચગના પરિવારજનોએ કરેલી કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે.


27 માર્ચ સુધીમાં જવાબ આપો


ગુજરાત હાઈકોર્ટે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને નોટિસ ફટકારી છે. આ પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યું કરી 27 માર્ચ સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પોલીસે પાલન ન કર્યાની દલીલ કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ થશે.


ભાજપના MP રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું


ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો, તેમની આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા હતા. મૃતકના પરિવારજનો આ બંને સામે FIRની માંગ કરી રહ્યા છે. ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે કહ્યું કે ડો.ચગે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.