ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ, 27 માર્ચ સુધીમાં જવાબ આપવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:45:39

ગીર સોમનાથનાં વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડો. અતુલ ચગના પરિવારજનોએ કરેલી કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો છે.


27 માર્ચ સુધીમાં જવાબ આપો


ગુજરાત હાઈકોર્ટે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને નોટિસ ફટકારી છે. આ પોલીસ અધિકારી સામે નોટિસ ઈશ્યું કરી 27 માર્ચ સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પોલીસે પાલન ન કર્યાની દલીલ કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ થશે.


ભાજપના MP રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું


ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આપઘાત કર્યો હતો, તેમની આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આત્મહત્યા માટે ભાજપના જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા હતા. મૃતકના પરિવારજનો આ બંને સામે FIRની માંગ કરી રહ્યા છે. ચગના પરિવારના વકીલ ચિરાગ કક્કડે કહ્યું કે ડો.ચગે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ નામ લખ્યા છે. છતાં પોલીસ સમાજ અને પરિવારને આશ્વાસન આપી રહી છે. પોલીસ ફરજ નિભાવી રહી નથી. સુપ્રીમ કોર્ટના સુચન મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ લેવાની હોય છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી