ગુજરાત હાઈકોર્ટે મહેસાણાની 16 વર્ષની સગર્ભાને ગર્ભપાતની આપી મંજુરી, સગીરા 18 સપ્તાહની ગર્ભવતી, દુષ્કર્મી સામે કાર્યવાહીનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-09-14 20:47:03

ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો નિર્ણય કરતા મહેસાણાની 16 વર્ષ અને 3 મહિનાની સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. સગીરા 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સગીરાના ભાઈએ અરજી કરી હતી. ગર્ભપાત માટે સગીરાના ભાઈએ એડવોકેટ નિધિ બારોટ મારફતે અરજી કરી હતી.જે અંગે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવેની કોર્ટમાં સુનાવણી થઈ હતી.આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.તે ઉપરાંત કોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજુરી પણ આપી છે.


ગુજરાત હાઈકોર્ટે આપી મંજુરી


ગુજરાત હાઈકોર્ટે આ મામલે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરીને 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું.રિપોર્ટમાં સગીરાને 18 મહિના અને 5 સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા. આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો.


કડી પોલીસ સ્ટેશનના PIને કર્યો આ હુકમ 



હાઈકોર્ટે અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા.આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સગીરાનો ગર્ભપાત હાયર રિસ્ક ધરાવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.