ગુજરાત હાઈકોર્ટે મહેસાણાની 16 વર્ષની સગર્ભાને ગર્ભપાતની આપી મંજુરી, સગીરા 18 સપ્તાહની ગર્ભવતી, દુષ્કર્મી સામે કાર્યવાહીનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-09-14 20:47:03

ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો નિર્ણય કરતા મહેસાણાની 16 વર્ષ અને 3 મહિનાની સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. સગીરા 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સગીરાના ભાઈએ અરજી કરી હતી. ગર્ભપાત માટે સગીરાના ભાઈએ એડવોકેટ નિધિ બારોટ મારફતે અરજી કરી હતી.જે અંગે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવેની કોર્ટમાં સુનાવણી થઈ હતી.આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.તે ઉપરાંત કોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજુરી પણ આપી છે.


ગુજરાત હાઈકોર્ટે આપી મંજુરી


ગુજરાત હાઈકોર્ટે આ મામલે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરીને 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું.રિપોર્ટમાં સગીરાને 18 મહિના અને 5 સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા. આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો.


કડી પોલીસ સ્ટેશનના PIને કર્યો આ હુકમ 



હાઈકોર્ટે અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા.આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સગીરાનો ગર્ભપાત હાયર રિસ્ક ધરાવે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી