ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને મોટી રાહત, હાઇકોર્ટે હંગામી જામીનનો કર્યો આદેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:57:42

ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથધરી હતી. આજે ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. તીસ્તા બાદ હવે આર.બી. શ્રીકુમારને હાઈકોર્ટે હંગામી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે, આર.બી. શ્રીકુમારને આ જામીન કાયમી નહીં પણ હંગામી જામીન છે. પોતાની પર ખોટો કેસ થયો હોવાની આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 


ગુજરાતને બદનામ કરવાનો આરોપ


આજે ગુજરાત હાઇકોર્ટમાં 2002 રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારની જામીન અરજી પર સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન તીસ્તાએ રજૂઆત કરી હતી કે તેના વિરુદ્ધ SITએ દાખલ કરેલી ચાર્જશીટની નકલ મળી નથી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે. 


વય અને નાદુરસ્ત તબિયતનો હવાલો આપી જામીનની માંગ


બીજી બાજુ આ કેસમાં SIT દ્વારા ચાર્જશીટ ફાઈલ થઇ ગઈ હોવાથી આર.બી.શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી હતી અને ઉંમર અને નાદુરસ્ત તબિયતના  કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. આથી હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.