ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ દંપતિ સહિત 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ, ચારેય લોકોને સારવાર માટે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-15 15:23:33

ગુજરાત હાઇકોર્ટમાં એક દંપતી સહિત 4 લોકોએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટમાં આ લોકોએ ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ 4 લોકોને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. હાલ પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. જો કે પોલીસે આ લોકોને ફિનાઈલ પીતા અટકાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઇ જવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બની ત્યાર બાદ જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું.


આ લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકોમાં 1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, 2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, 4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન અમદાવાદના નિકોલના કેશવ પ્રિય હોમ્સમાં રહે છે. 


શા માટે આ અંતિમ પગલું ભર્યું?  


હાઈકોર્ટમાં 4 લોકોના આત્મહત્યાના પ્રયાસ અંગે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે આ દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.