ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ દંપતિ સહિત 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ, ચારેય લોકોને સારવાર માટે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-15 15:23:33

ગુજરાત હાઇકોર્ટમાં એક દંપતી સહિત 4 લોકોએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટમાં આ લોકોએ ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ 4 લોકોને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. હાલ પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. જો કે પોલીસે આ લોકોને ફિનાઈલ પીતા અટકાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઇ જવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બની ત્યાર બાદ જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું.


આ લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકોમાં 1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, 2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, 4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન અમદાવાદના નિકોલના કેશવ પ્રિય હોમ્સમાં રહે છે. 


શા માટે આ અંતિમ પગલું ભર્યું?  


હાઈકોર્ટમાં 4 લોકોના આત્મહત્યાના પ્રયાસ અંગે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે આ દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.