ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ દંપતિ સહિત 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ, ચારેય લોકોને સારવાર માટે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-15 15:23:33

ગુજરાત હાઇકોર્ટમાં એક દંપતી સહિત 4 લોકોએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટમાં આ લોકોએ ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ 4 લોકોને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. હાલ પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. જો કે પોલીસે આ લોકોને ફિનાઈલ પીતા અટકાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઇ જવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બની ત્યાર બાદ જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું.


આ લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકોમાં 1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, 2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, 4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન અમદાવાદના નિકોલના કેશવ પ્રિય હોમ્સમાં રહે છે. 


શા માટે આ અંતિમ પગલું ભર્યું?  


હાઈકોર્ટમાં 4 લોકોના આત્મહત્યાના પ્રયાસ અંગે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે આ દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.