GPSCને લઇને હાઇકોર્ટે પૂછ્યા વેધક સવાલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-16 20:58:19

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે. "આ કેસ તમારા આપખુદશાહી એટલેકે , ઓટોક્રેસીનો છે." આ શબ્દો છે , ગુજરાત હાઇકોર્ટના જજ નિર્ઝર એસ દેસાઈના. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં એક સવાલને લઇને ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આખો મામલો , GPSCની પરીક્ષામાં પુછાયેલા "કૌટિલ્યના" પ્રશ્ર્નનો છે. ઉમેદવારે પિટિશન કરી છે કે , તેનો જવાબ સાચો છે પરંતુ GPSCએ તેને ખોટો ગણાવ્યો છે.

GPSC Civil Services Prelims Result 2021 My Careers View - India's Best  College, School and coaching

 જજ નિર્ઝર એસ દેસાઈએ GPSCને લઇને ટિપ્પણી કરતા કહ્યું છે કે " આ પ્રશ્ન પાછળ ઓરીજીનલ સોર્સ એટલેકે , બુક ક્યાં છે? તમારી પાસે છે કે નહિ? જો તમારી પાસે ઓરીજીનલ સોર્સ નથી તો એફિડેવિટ દાખલ કરો. તમે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ ઉપરાંત , પેપર સેંટરનું નામ પણ હવે ડિસ્કલોઝ કરો. આ કેસ તમારી આપખુદશાહી એટલેકે ઓટોક્રેસીનો છે. GPSC દરેક વખતે આ પેપર સેટ કરવામાં ગોટાળા કરે છે. દરેક વખતે લોકોએ કોર્ટમાં આવવું પડે છે." આમ GPSCને ખુબ વેધક સવાલો જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા પુછાયા છે. 

GPSC releases advertisement for recruitment on 1,427 vacant posts of  various departments in Gujarat government https://t.co/HppvOtpvoS

જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા આ મામલે , GPSCના વકીલને પ્રશ્ન કરાયો કે તમારી પાસે સોર્સ કયો છે ત્યારે , વકીલ જવાબ નહોતા આપી શક્યા આ પછી , જજ નિર્ઝર એસ દેસાઈએ ઓરીજીનલ સોર્સ રજૂ કરવા માટે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૨૦મી તારીખે હાથ ધરાશે. આમ ગુજરાત હાઇકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે. અહીં એક બીજી વસ્તુ દર્શકમિત્રો , આપને જણાવવી છે કે, GPSCના બોર્ડમાં મંજુર સંખ્યાબળ ૭ સભ્યોનું છે. પણ અત્યારે બોર્ડમાં પાંચ જગ્યાઓ ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો , કેરળમાં ૨૧ સભ્યોનું , તમિલનાડુમાં ૧૫ સભ્યોનું , રાજસ્થાનમાં ૧૧ સભ્યોનું , કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ૯ સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. GPSCએ તાત્કાલિક ધોરણે , બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણુંક કરીને , બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.