GPSCને લઇને હાઇકોર્ટે પૂછ્યા વેધક સવાલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-16 20:58:19

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે. "આ કેસ તમારા આપખુદશાહી એટલેકે , ઓટોક્રેસીનો છે." આ શબ્દો છે , ગુજરાત હાઇકોર્ટના જજ નિર્ઝર એસ દેસાઈના. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં એક સવાલને લઇને ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આખો મામલો , GPSCની પરીક્ષામાં પુછાયેલા "કૌટિલ્યના" પ્રશ્ર્નનો છે. ઉમેદવારે પિટિશન કરી છે કે , તેનો જવાબ સાચો છે પરંતુ GPSCએ તેને ખોટો ગણાવ્યો છે.

GPSC Civil Services Prelims Result 2021 My Careers View - India's Best  College, School and coaching

 જજ નિર્ઝર એસ દેસાઈએ GPSCને લઇને ટિપ્પણી કરતા કહ્યું છે કે " આ પ્રશ્ન પાછળ ઓરીજીનલ સોર્સ એટલેકે , બુક ક્યાં છે? તમારી પાસે છે કે નહિ? જો તમારી પાસે ઓરીજીનલ સોર્સ નથી તો એફિડેવિટ દાખલ કરો. તમે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ ઉપરાંત , પેપર સેંટરનું નામ પણ હવે ડિસ્કલોઝ કરો. આ કેસ તમારી આપખુદશાહી એટલેકે ઓટોક્રેસીનો છે. GPSC દરેક વખતે આ પેપર સેટ કરવામાં ગોટાળા કરે છે. દરેક વખતે લોકોએ કોર્ટમાં આવવું પડે છે." આમ GPSCને ખુબ વેધક સવાલો જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા પુછાયા છે. 

GPSC releases advertisement for recruitment on 1,427 vacant posts of  various departments in Gujarat government https://t.co/HppvOtpvoS

જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા આ મામલે , GPSCના વકીલને પ્રશ્ન કરાયો કે તમારી પાસે સોર્સ કયો છે ત્યારે , વકીલ જવાબ નહોતા આપી શક્યા આ પછી , જજ નિર્ઝર એસ દેસાઈએ ઓરીજીનલ સોર્સ રજૂ કરવા માટે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૨૦મી તારીખે હાથ ધરાશે. આમ ગુજરાત હાઇકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે. અહીં એક બીજી વસ્તુ દર્શકમિત્રો , આપને જણાવવી છે કે, GPSCના બોર્ડમાં મંજુર સંખ્યાબળ ૭ સભ્યોનું છે. પણ અત્યારે બોર્ડમાં પાંચ જગ્યાઓ ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો , કેરળમાં ૨૧ સભ્યોનું , તમિલનાડુમાં ૧૫ સભ્યોનું , રાજસ્થાનમાં ૧૧ સભ્યોનું , કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ૯ સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. GPSCએ તાત્કાલિક ધોરણે , બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણુંક કરીને , બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.