GPSCને લઇને હાઇકોર્ટે પૂછ્યા વેધક સવાલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-16 20:58:19

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે. "આ કેસ તમારા આપખુદશાહી એટલેકે , ઓટોક્રેસીનો છે." આ શબ્દો છે , ગુજરાત હાઇકોર્ટના જજ નિર્ઝર એસ દેસાઈના. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં એક સવાલને લઇને ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આખો મામલો , GPSCની પરીક્ષામાં પુછાયેલા "કૌટિલ્યના" પ્રશ્ર્નનો છે. ઉમેદવારે પિટિશન કરી છે કે , તેનો જવાબ સાચો છે પરંતુ GPSCએ તેને ખોટો ગણાવ્યો છે.

GPSC Civil Services Prelims Result 2021 My Careers View - India's Best  College, School and coaching

 જજ નિર્ઝર એસ દેસાઈએ GPSCને લઇને ટિપ્પણી કરતા કહ્યું છે કે " આ પ્રશ્ન પાછળ ઓરીજીનલ સોર્સ એટલેકે , બુક ક્યાં છે? તમારી પાસે છે કે નહિ? જો તમારી પાસે ઓરીજીનલ સોર્સ નથી તો એફિડેવિટ દાખલ કરો. તમે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ ઉપરાંત , પેપર સેંટરનું નામ પણ હવે ડિસ્કલોઝ કરો. આ કેસ તમારી આપખુદશાહી એટલેકે ઓટોક્રેસીનો છે. GPSC દરેક વખતે આ પેપર સેટ કરવામાં ગોટાળા કરે છે. દરેક વખતે લોકોએ કોર્ટમાં આવવું પડે છે." આમ GPSCને ખુબ વેધક સવાલો જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા પુછાયા છે. 

GPSC releases advertisement for recruitment on 1,427 vacant posts of  various departments in Gujarat government https://t.co/HppvOtpvoS

જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા આ મામલે , GPSCના વકીલને પ્રશ્ન કરાયો કે તમારી પાસે સોર્સ કયો છે ત્યારે , વકીલ જવાબ નહોતા આપી શક્યા આ પછી , જજ નિર્ઝર એસ દેસાઈએ ઓરીજીનલ સોર્સ રજૂ કરવા માટે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૨૦મી તારીખે હાથ ધરાશે. આમ ગુજરાત હાઇકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે. અહીં એક બીજી વસ્તુ દર્શકમિત્રો , આપને જણાવવી છે કે, GPSCના બોર્ડમાં મંજુર સંખ્યાબળ ૭ સભ્યોનું છે. પણ અત્યારે બોર્ડમાં પાંચ જગ્યાઓ ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો , કેરળમાં ૨૧ સભ્યોનું , તમિલનાડુમાં ૧૫ સભ્યોનું , રાજસ્થાનમાં ૧૧ સભ્યોનું , કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ૯ સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. GPSCએ તાત્કાલિક ધોરણે , બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણુંક કરીને , બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ.




વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.