તો શું અનિરુદ્ધસિંહ રીબડા ફરી જશે જેલમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-07 20:13:06

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે? 

Free Photo : Aniruddhsinh Jadeja,Jayrajsinh Jadeja

૧૫ ઓગસ્ટ ૧૯૮૮નો એ લોહિયાળ દિવસ ગુજરાત ક્યારેય નઈ ભૂલે. જયારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા પર ગોંડલના સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરતા પોપટભાઈ સોરઠીયાનું મૃત્યુ થયું હતું . આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાને ટાડા એક્ટ હેઠળ સજા થઇ હતી , પરંતુ આ પછી ૨૦૧૮માં ગુજરાત સરકારે સજામાફી આપી હતી. તો હવે ગુજરાત સરકારની આ સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પૂર્વ MLA પોપટભાઈ સોરઠીયાના પૌત્ર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી . આ પિટિશનમાં રજુઆત કરાઈ હતી કે , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે. 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff! 

તો હવે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો . જસ્ટિસ હસમુખ ડી. સુથારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સીધા સવાલો કર્યા હતા. હાઇકોર્ટે આ બાબતે સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ આખી સુનાવણી ત્રણ કલાક ચાલી હતી . સાથે જ નામદાર હાઇકોર્ટે , જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષજનક જવાબો આપી નહોતા શક્યા. વાત કરીએ , અનિરુદ્ધસિંહ રીબડાની તો , પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં ટાડા એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો , જેમાં મહત્વના સાક્ષીઓ ફરી જતા બને આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા . જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા , તા ૧૦ - ૭ - ૧૯૯૭ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. પ્રશ્ર્ન એ થયો છે કે , હવે શું અનિરુદ્ધસિંહ રીબડાનો ફરી જેલવાસ થઇ શકે છે? રાજકોટના ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે. જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.