તો શું અનિરુદ્ધસિંહ રીબડા ફરી જશે જેલમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-07 20:13:06

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે? 

Free Photo : Aniruddhsinh Jadeja,Jayrajsinh Jadeja

૧૫ ઓગસ્ટ ૧૯૮૮નો એ લોહિયાળ દિવસ ગુજરાત ક્યારેય નઈ ભૂલે. જયારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા પર ગોંડલના સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરતા પોપટભાઈ સોરઠીયાનું મૃત્યુ થયું હતું . આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાને ટાડા એક્ટ હેઠળ સજા થઇ હતી , પરંતુ આ પછી ૨૦૧૮માં ગુજરાત સરકારે સજામાફી આપી હતી. તો હવે ગુજરાત સરકારની આ સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પૂર્વ MLA પોપટભાઈ સોરઠીયાના પૌત્ર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી . આ પિટિશનમાં રજુઆત કરાઈ હતી કે , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે. 

Gujarat High Court Takes A Giant Leap || Free Medical Treatment For Judges  And Staff! 

તો હવે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો . જસ્ટિસ હસમુખ ડી. સુથારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સીધા સવાલો કર્યા હતા. હાઇકોર્ટે આ બાબતે સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ આખી સુનાવણી ત્રણ કલાક ચાલી હતી . સાથે જ નામદાર હાઇકોર્ટે , જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષજનક જવાબો આપી નહોતા શક્યા. વાત કરીએ , અનિરુદ્ધસિંહ રીબડાની તો , પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં ટાડા એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો , જેમાં મહત્વના સાક્ષીઓ ફરી જતા બને આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા . જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા , તા ૧૦ - ૭ - ૧૯૯૭ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. પ્રશ્ર્ન એ થયો છે કે , હવે શું અનિરુદ્ધસિંહ રીબડાનો ફરી જેલવાસ થઇ શકે છે? રાજકોટના ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે. જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.




આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.