ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ, તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે


  • Published By :
  • Published Date : 2023-01-25 11:32:51

સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે. નલિયમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડા દિવસો બાદ ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ શકે છે. 


હિમવર્ષાને કારણે ગુજરાતમાં જોવા મળી અસર 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છએ. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.  સુસવાટા પવન વહેવાની આગાહી પણ કરવામાં આવી છે.  

ગુજરાતમાં ઠંડી ઘટીઃ સુરતનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું, દક્ષિણ  ગુજરાતમાં માવઠાની શક્યતા - Rakhewal Daily

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડી શકે છે પારો 

અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.ગાંધીનગરમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠામાં 9 ડિગ્રી, રાજકોટમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 9.6, પોરબંદરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.