ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ, તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે


  • Published By :
  • Published Date : 2023-01-25 11:32:51

સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ કડકડતી ઠંડી યથાવત જોવા મળશે. નલિયમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડા દિવસો બાદ ઠંડીથી આંશિક રાહતનો અનુભવ થઈ શકે છે. 


હિમવર્ષાને કારણે ગુજરાતમાં જોવા મળી અસર 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છએ. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.  સુસવાટા પવન વહેવાની આગાહી પણ કરવામાં આવી છે.  

ગુજરાતમાં ઠંડી ઘટીઃ સુરતનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું, દક્ષિણ  ગુજરાતમાં માવઠાની શક્યતા - Rakhewal Daily

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગગડી શકે છે પારો 

અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.ગાંધીનગરમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠામાં 9 ડિગ્રી, રાજકોટમાં પણ 10 ડિગ્રી, અમરેલીમાં 9.6, પોરબંદરમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.