Gujarat : જાણો વરસાદ વિદાય લેતા પહેલા ક્યાં મન મૂકીને વરસશે, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-27 16:48:02

ગુજરાતમાં થોડા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મુખ્યત્વે અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. દેશના અનેક રાજ્યો છે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લઈને આવે. 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. એવું મનાય છે રાજસ્થાનથી પહેલા ચોમાસુ વિદાય લે છે તે બાદ બીજા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. 


Image

અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ધબધબાટી બોલાવી હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ચોમાસુ વિદાય તરફ છે. જતા જતા અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે.   


Image

Image


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આ આગાહી

28 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢ, ભાવનગર, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સિવાય  29 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. .

Image

Image


અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસ્યો 

હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરને રોજ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ વરસ્યો તે અંગેની માહિતી આપવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયો છે.એકદમ હળવો વરસાદ કચ્છ, રાજકોટ, ખેડા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નથી વરસ્યો.       


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને વાવાઝોડું આવવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં 30મી સપ્ટેમ્બરે લો પ્રેસર સર્જાશે જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. મ્યાનમારના માર્ગે પૂર્વી ભારત તરફ આગળ વધશે. 7મી ઓક્ટોબર બાદ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.