Gujarat : જાણો વરસાદ વિદાય લેતા પહેલા ક્યાં મન મૂકીને વરસશે, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-27 16:48:02

ગુજરાતમાં થોડા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મુખ્યત્વે અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. દેશના અનેક રાજ્યો છે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી જે વરસાદ લઈને આવે. 25 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. એવું મનાય છે રાજસ્થાનથી પહેલા ચોમાસુ વિદાય લે છે તે બાદ બીજા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. 


Image

અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ધબધબાટી બોલાવી હતી. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ચોમાસુ વિદાય તરફ છે. જતા જતા અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે.   


Image

Image


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આ આગાહી

28 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢ, ભાવનગર, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સિવાય  29 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. .

Image

Image


અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસ્યો 

હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરને રોજ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 24 કલાક દરમિયાન ક્યાં વરસાદ વરસ્યો તે અંગેની માહિતી આપવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયો છે.એકદમ હળવો વરસાદ કચ્છ, રાજકોટ, ખેડા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, મોરબી સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નથી વરસ્યો.       


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને વાવાઝોડું આવવાની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં 30મી સપ્ટેમ્બરે લો પ્રેસર સર્જાશે જે ગુજરાતમાં વરસાદને લઈને આવશે. મ્યાનમારના માર્ગે પૂર્વી ભારત તરફ આગળ વધશે. 7મી ઓક્ટોબર બાદ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.