ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીને લખ્યો પત્ર! નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારને લઈ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:10:43

ઉનાળાની શરૂઆત  થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને ઘણું દૂર જવું પડતું હોય છે. ત્યારે લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત હવે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવી છે. જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. 

Image

ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો!  

પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 100 ટકા આ યોજના પૂર્ણ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એવા અનેક ગામો છે જ્યાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ અપનાવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 


મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત!

જેઠા ભરવાડે લખ્યું કે કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઈવેટ ઈજનેર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેને લઈ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે