ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીને લખ્યો પત્ર! નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારને લઈ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:10:43

ઉનાળાની શરૂઆત  થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને ઘણું દૂર જવું પડતું હોય છે. ત્યારે લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત હવે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવી છે. જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. 

Image

ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો!  

પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 100 ટકા આ યોજના પૂર્ણ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એવા અનેક ગામો છે જ્યાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ અપનાવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 


મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત!

જેઠા ભરવાડે લખ્યું કે કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઈવેટ ઈજનેર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેને લઈ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?