ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીને લખ્યો પત્ર! નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારને લઈ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:10:43

ઉનાળાની શરૂઆત  થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને ઘણું દૂર જવું પડતું હોય છે. ત્યારે લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત હવે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવી છે. જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. 

Image

ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો!  

પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 100 ટકા આ યોજના પૂર્ણ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એવા અનેક ગામો છે જ્યાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ અપનાવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 


મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત!

જેઠા ભરવાડે લખ્યું કે કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઈવેટ ઈજનેર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેને લઈ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.