ગુજરાત વિધાનસભાના ચાર દિવસના ચોમાસુ સત્રનો આવતી કાલથી પ્રારંભ, આ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-09-12 18:32:26

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આવતી કાલે બુધવારથી શુભારંભ થશે. શરૂ થશે. વિધાનસભાનું આ સત્ર 3 દિવસના બદલે 4 દિવસ માટે મળશે. આગામી 13, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળશે. આ વિધાનસભા સત્રમાં 9ના બદલે 10 જેટલા વિધેયક થતાં એક દિવસ વધારવામાં આવ્યો છે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન આજે વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં 4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. 


આ બીલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે


ગુજરાત વિધાનસભાના આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ કામકાજની કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. હવે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે.


ભાજપના ધારાસભ્યોની બેઠક


ભાજપના ધારાસભ્યોની આજે સાંજે ચાર વાગે કાર્યકારિણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. 9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત 2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા, વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના સંભવિત પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને મંજુરી આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને મંજુરી આપવામાં આવશે.


ભાજપના MLAsને 3 લાઈનની વ્હીપ જાહેર


ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શિસ્ત ને લઈને ત્રણ લાઈનની વ્હીપ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે જેમાં ત્રણ દિવસના વિધાનસભાના સત્ર માટેની રણનીતિને આખરી કરવામાં આવશે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેર કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.