Gujarat Loksabha Election: AAPએ જાહેર કરી સ્ટાર પ્રચારકની યાદી, અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-04-16 17:54:45

આપણે ત્યાં ચૂંટણી અનેક ફેઝ અંતર્ગત લડાતી હોય છે.. સૌથી પહેલો તબક્કો જ્યારે ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે, બીજો તબક્કામાં ઉમેદવારના નામની જાહેરાત થાય, તે બાદ ઉમેદવાર નામાંકન ભરે, પ્રચાર કરે વગેરે વગેરે... ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ, અનેક ઉમેદવારોએ નામાંકન ભર્યું તો અનેક ઉમેદવારોના નામાંકન થવાના બાકી છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા મોટી જનસભાઓ, પ્રચાર કરવામાં આવતો હોય છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ઉમેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર પર ઉમેશ મકવાણા તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને તેમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. 


40 સ્ટાર પ્રચારકની કરાઈ જાહેરાત 

ચૈતર વસાવા પણ થોડા દિવસોની અંદર ઉમેદવારી ફોર્મ ભરશે.. આ બધા વચ્ચે ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં અનેક નામોનો સમાવેશ થાય છે... પ્રચારકની યાદીમાં 40 નામોનો છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજવીલ, ગોપાલ ઈટાલિયા, મનીષ સિસોદીયા, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજયસિંહ સહિતના અનેક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 


બંને ઉમેદવારે કરી દીધી હતી પ્રચારની શરૂઆત 

તે ઉપરાંત રાઘવ ચઢ્ઢા ઈસુદાન ગઢવી, આતિશી. હેમંત ખાવાને પણ ગુજરાતમાં પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદીયા હાલ જેલમાં છે... મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી અને ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.