Gujarat Loksabha Election: AAPએ જાહેર કરી સ્ટાર પ્રચારકની યાદી, અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-04-16 17:54:45

આપણે ત્યાં ચૂંટણી અનેક ફેઝ અંતર્ગત લડાતી હોય છે.. સૌથી પહેલો તબક્કો જ્યારે ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે, બીજો તબક્કામાં ઉમેદવારના નામની જાહેરાત થાય, તે બાદ ઉમેદવાર નામાંકન ભરે, પ્રચાર કરે વગેરે વગેરે... ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ, અનેક ઉમેદવારોએ નામાંકન ભર્યું તો અનેક ઉમેદવારોના નામાંકન થવાના બાકી છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા મોટી જનસભાઓ, પ્રચાર કરવામાં આવતો હોય છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ઉમેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર પર ઉમેશ મકવાણા તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને તેમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. 


40 સ્ટાર પ્રચારકની કરાઈ જાહેરાત 

ચૈતર વસાવા પણ થોડા દિવસોની અંદર ઉમેદવારી ફોર્મ ભરશે.. આ બધા વચ્ચે ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં અનેક નામોનો સમાવેશ થાય છે... પ્રચારકની યાદીમાં 40 નામોનો છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજવીલ, ગોપાલ ઈટાલિયા, મનીષ સિસોદીયા, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજયસિંહ સહિતના અનેક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 


બંને ઉમેદવારે કરી દીધી હતી પ્રચારની શરૂઆત 

તે ઉપરાંત રાઘવ ચઢ્ઢા ઈસુદાન ગઢવી, આતિશી. હેમંત ખાવાને પણ ગુજરાતમાં પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદીયા હાલ જેલમાં છે... મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી અને ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .