Gujarat Loksabha Election: AAPએ જાહેર કરી સ્ટાર પ્રચારકની યાદી, અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-16 17:54:45

આપણે ત્યાં ચૂંટણી અનેક ફેઝ અંતર્ગત લડાતી હોય છે.. સૌથી પહેલો તબક્કો જ્યારે ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે, બીજો તબક્કામાં ઉમેદવારના નામની જાહેરાત થાય, તે બાદ ઉમેદવાર નામાંકન ભરે, પ્રચાર કરે વગેરે વગેરે... ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ, અનેક ઉમેદવારોએ નામાંકન ભર્યું તો અનેક ઉમેદવારોના નામાંકન થવાના બાકી છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા મોટી જનસભાઓ, પ્રચાર કરવામાં આવતો હોય છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ઉમેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર પર ઉમેશ મકવાણા તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને તેમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. 


40 સ્ટાર પ્રચારકની કરાઈ જાહેરાત 

ચૈતર વસાવા પણ થોડા દિવસોની અંદર ઉમેદવારી ફોર્મ ભરશે.. આ બધા વચ્ચે ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં અનેક નામોનો સમાવેશ થાય છે... પ્રચારકની યાદીમાં 40 નામોનો છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજવીલ, ગોપાલ ઈટાલિયા, મનીષ સિસોદીયા, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજયસિંહ સહિતના અનેક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 


બંને ઉમેદવારે કરી દીધી હતી પ્રચારની શરૂઆત 

તે ઉપરાંત રાઘવ ચઢ્ઢા ઈસુદાન ગઢવી, આતિશી. હેમંત ખાવાને પણ ગુજરાતમાં પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદીયા હાલ જેલમાં છે... મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી અને ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.     



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..