Gujarat Loksabha Election: AAPએ જાહેર કરી સ્ટાર પ્રચારકની યાદી, અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-04-16 17:54:45

આપણે ત્યાં ચૂંટણી અનેક ફેઝ અંતર્ગત લડાતી હોય છે.. સૌથી પહેલો તબક્કો જ્યારે ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે, બીજો તબક્કામાં ઉમેદવારના નામની જાહેરાત થાય, તે બાદ ઉમેદવાર નામાંકન ભરે, પ્રચાર કરે વગેરે વગેરે... ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ, અનેક ઉમેદવારોએ નામાંકન ભર્યું તો અનેક ઉમેદવારોના નામાંકન થવાના બાકી છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા મોટી જનસભાઓ, પ્રચાર કરવામાં આવતો હોય છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ઉમેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર પર ઉમેશ મકવાણા તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને તેમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. 


40 સ્ટાર પ્રચારકની કરાઈ જાહેરાત 

ચૈતર વસાવા પણ થોડા દિવસોની અંદર ઉમેદવારી ફોર્મ ભરશે.. આ બધા વચ્ચે ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં અનેક નામોનો સમાવેશ થાય છે... પ્રચારકની યાદીમાં 40 નામોનો છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજવીલ, ગોપાલ ઈટાલિયા, મનીષ સિસોદીયા, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજયસિંહ સહિતના અનેક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 


બંને ઉમેદવારે કરી દીધી હતી પ્રચારની શરૂઆત 

તે ઉપરાંત રાઘવ ચઢ્ઢા ઈસુદાન ગઢવી, આતિશી. હેમંત ખાવાને પણ ગુજરાતમાં પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદીયા હાલ જેલમાં છે... મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી અને ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.     



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.