ગુજરાતના મંત્રીઓએ કાર્યાલયની બહાર લગાવ્યા QR Code, બે મંત્રીઓએ લીધો ટેક્નોલોજીનો સહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 13:47:01

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ ગુજરાત સરકારના મંત્રીઓ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના કામકાજમાં કરી રહ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ઓનલાઈન અપોઈન્મેન્ટની વ્યવસ્થા કરી છે.  

 હર્ષ સંઘવી કાર્યાલયમાં પણ ડિજિટલ વર્કિંગ પેટર્ન

હર્ષ સંઘવી બન્યા ટેક્નોસેવી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મંત્રીઓની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીના ઓફિસની બહાર ભીડ ન થાય તે મંત્રીઓએ ઓનલાઈન અપોઈન્મેન્ટ આપવાની શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આવે છે તેમની તમામ વિગતો, સમસ્યા કે રજૂઆત અંગેની માહિતી આ ઓપરેટર કોમ્પ્યુટરમાં અપડેટ કરે છે. મુલાકાત બાદ આ રજૂઆત અંગે થયેલી કાર્યવાહીની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. તે સિવાય ભીખુસિંહ પરમારે પણ ઓફિસની બહાર ક્યુ આર કોડ લગાડવામાં આવ્યો છે.     

ઉછીના પૈસા લઈ પરીક્ષા આપી, પહેલા નંબરે પાસ થયા

ઓફિસમાં ઓનલાઈન અપોઈમેન્ટની કરાઈ વ્યવસ્થા

અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન અપોઈમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે અપોઈન્મેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન અપોઈમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન અપોઈમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.