ગુજરાતના મંત્રીઓએ કાર્યાલયની બહાર લગાવ્યા QR Code, બે મંત્રીઓએ લીધો ટેક્નોલોજીનો સહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 13:47:01

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ ગુજરાત સરકારના મંત્રીઓ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના કામકાજમાં કરી રહ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ઓનલાઈન અપોઈન્મેન્ટની વ્યવસ્થા કરી છે.  

 હર્ષ સંઘવી કાર્યાલયમાં પણ ડિજિટલ વર્કિંગ પેટર્ન

હર્ષ સંઘવી બન્યા ટેક્નોસેવી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મંત્રીઓની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીના ઓફિસની બહાર ભીડ ન થાય તે મંત્રીઓએ ઓનલાઈન અપોઈન્મેન્ટ આપવાની શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આવે છે તેમની તમામ વિગતો, સમસ્યા કે રજૂઆત અંગેની માહિતી આ ઓપરેટર કોમ્પ્યુટરમાં અપડેટ કરે છે. મુલાકાત બાદ આ રજૂઆત અંગે થયેલી કાર્યવાહીની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. તે સિવાય ભીખુસિંહ પરમારે પણ ઓફિસની બહાર ક્યુ આર કોડ લગાડવામાં આવ્યો છે.     

ઉછીના પૈસા લઈ પરીક્ષા આપી, પહેલા નંબરે પાસ થયા

ઓફિસમાં ઓનલાઈન અપોઈમેન્ટની કરાઈ વ્યવસ્થા

અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન અપોઈમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે અપોઈન્મેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન અપોઈમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન અપોઈમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.