ગુજરાતના મંત્રીઓએ કાર્યાલયની બહાર લગાવ્યા QR Code, બે મંત્રીઓએ લીધો ટેક્નોલોજીનો સહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 13:47:01

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ ગુજરાત સરકારના મંત્રીઓ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના કામકાજમાં કરી રહ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ઓનલાઈન અપોઈન્મેન્ટની વ્યવસ્થા કરી છે.  

 હર્ષ સંઘવી કાર્યાલયમાં પણ ડિજિટલ વર્કિંગ પેટર્ન

હર્ષ સંઘવી બન્યા ટેક્નોસેવી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મંત્રીઓની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીના ઓફિસની બહાર ભીડ ન થાય તે મંત્રીઓએ ઓનલાઈન અપોઈન્મેન્ટ આપવાની શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આવે છે તેમની તમામ વિગતો, સમસ્યા કે રજૂઆત અંગેની માહિતી આ ઓપરેટર કોમ્પ્યુટરમાં અપડેટ કરે છે. મુલાકાત બાદ આ રજૂઆત અંગે થયેલી કાર્યવાહીની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. તે સિવાય ભીખુસિંહ પરમારે પણ ઓફિસની બહાર ક્યુ આર કોડ લગાડવામાં આવ્યો છે.     

ઉછીના પૈસા લઈ પરીક્ષા આપી, પહેલા નંબરે પાસ થયા

ઓફિસમાં ઓનલાઈન અપોઈમેન્ટની કરાઈ વ્યવસ્થા

અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન અપોઈમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે અપોઈન્મેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન અપોઈમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન અપોઈમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.