ગુજરાતના મંત્રીઓએ કાર્યાલયની બહાર લગાવ્યા QR Code, બે મંત્રીઓએ લીધો ટેક્નોલોજીનો સહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 13:47:01

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ ગુજરાત સરકારના મંત્રીઓ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના કામકાજમાં કરી રહ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ઓનલાઈન અપોઈન્મેન્ટની વ્યવસ્થા કરી છે.  

 હર્ષ સંઘવી કાર્યાલયમાં પણ ડિજિટલ વર્કિંગ પેટર્ન

હર્ષ સંઘવી બન્યા ટેક્નોસેવી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મંત્રીઓની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીના ઓફિસની બહાર ભીડ ન થાય તે મંત્રીઓએ ઓનલાઈન અપોઈન્મેન્ટ આપવાની શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આવે છે તેમની તમામ વિગતો, સમસ્યા કે રજૂઆત અંગેની માહિતી આ ઓપરેટર કોમ્પ્યુટરમાં અપડેટ કરે છે. મુલાકાત બાદ આ રજૂઆત અંગે થયેલી કાર્યવાહીની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. તે સિવાય ભીખુસિંહ પરમારે પણ ઓફિસની બહાર ક્યુ આર કોડ લગાડવામાં આવ્યો છે.     

ઉછીના પૈસા લઈ પરીક્ષા આપી, પહેલા નંબરે પાસ થયા

ઓફિસમાં ઓનલાઈન અપોઈમેન્ટની કરાઈ વ્યવસ્થા

અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન અપોઈમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે અપોઈન્મેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન અપોઈમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન અપોઈમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.