Gujarat : Congress ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેની પહેલા જાણીલો સંભવિત ઉમેદવારોના નામ, ઉમેદવાર બને તે પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર!


  • Published By :
  • Published Date : 2024-03-12 17:03:30

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રોજ રાજનીતિમાં નવો ભૂકંપ આવે છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે જેમાં ગુજરાત કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે પણ અમુક નામો એવા છે જે જાહેર થાય પહેલા જ ફિક્ષ જેવા જ છે. એવું માનવામાં આવે છે કે તેમને જાણ કરી દેવામાં આવી છે કે તે ચૂંટણી માટે તૈયારી કરી રાખે.  


62 બેઠકો માટે કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારના નામ જાહેર 

આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે તેવી વાતો થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના તો જાણે નક્કી જ છે  દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. 


કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?

હાઈકમાન્ડે મોટા ભાગના ઉમેદવારોને અત્યારથી કહી દીધું છે કે તમે તૈયારીઓ શરૂ કરી દો જો પોરબંદરથી કોંગ્રેસ લલીત વસોયાને મેદાને ઉતરે છે તો એમની સામે મનસુખ માંડવિયા મેદાને છે , બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નક્કી જેવુ છે વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં પણ ચિત્ર ક્લિયર છે કે ત્યાં ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે રેખા બેન સામે ત્યાં ગેની બેન પણ અહિયાં કોકડું ગુંચવાયું છે કારણકે કાંતિ ખરાડીએ પણ ઉમેદવારીની વાત કરી છે 


પોતાના ધારાસભ્યોને કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર તરીકે!

વાત ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની કરીએ તો કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ જાણીતા છે 


ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર કર્યા છે જાહેર 

ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ગઠબંધનના ઉમેદવાર નક્કી છે જેમાં ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે હવે આ વાત તો કોંગ્રેસ અને ગઠબંધનની હવે વાત ભાજપની કરીએ તો ભાજપની પણ બેઠકો ચાલી રહી છે ભાજપે સૌથી પહેલા 195 ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાંથી 15 ઉમેદવાર ગુજરાતના હતા.હવે બાકીની 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપિટ થીયરી અપનાવી શકે છે.જેમાં અમરેલીમાં  નારણ કાછડીયાનું પત્તું કપાય શકે છે અને આવાતો અનેક નામ છે જેના પત્તું કપાય શકે છે ત્યારે કોનું પત્તું કપાય છે કોને લોટરી લાગે છે તે જોવાનું રહ્યું..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.