Gujarat : Congress ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેની પહેલા જાણીલો સંભવિત ઉમેદવારોના નામ, ઉમેદવાર બને તે પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર!


  • Published By :
  • Published Date : 2024-03-12 17:03:30

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રોજ રાજનીતિમાં નવો ભૂકંપ આવે છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે જેમાં ગુજરાત કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે પણ અમુક નામો એવા છે જે જાહેર થાય પહેલા જ ફિક્ષ જેવા જ છે. એવું માનવામાં આવે છે કે તેમને જાણ કરી દેવામાં આવી છે કે તે ચૂંટણી માટે તૈયારી કરી રાખે.  


62 બેઠકો માટે કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારના નામ જાહેર 

આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે તેવી વાતો થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના તો જાણે નક્કી જ છે  દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. 


કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?

હાઈકમાન્ડે મોટા ભાગના ઉમેદવારોને અત્યારથી કહી દીધું છે કે તમે તૈયારીઓ શરૂ કરી દો જો પોરબંદરથી કોંગ્રેસ લલીત વસોયાને મેદાને ઉતરે છે તો એમની સામે મનસુખ માંડવિયા મેદાને છે , બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નક્કી જેવુ છે વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં પણ ચિત્ર ક્લિયર છે કે ત્યાં ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે રેખા બેન સામે ત્યાં ગેની બેન પણ અહિયાં કોકડું ગુંચવાયું છે કારણકે કાંતિ ખરાડીએ પણ ઉમેદવારીની વાત કરી છે 


પોતાના ધારાસભ્યોને કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર તરીકે!

વાત ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની કરીએ તો કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ જાણીતા છે 


ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર કર્યા છે જાહેર 

ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ગઠબંધનના ઉમેદવાર નક્કી છે જેમાં ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે હવે આ વાત તો કોંગ્રેસ અને ગઠબંધનની હવે વાત ભાજપની કરીએ તો ભાજપની પણ બેઠકો ચાલી રહી છે ભાજપે સૌથી પહેલા 195 ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાંથી 15 ઉમેદવાર ગુજરાતના હતા.હવે બાકીની 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપિટ થીયરી અપનાવી શકે છે.જેમાં અમરેલીમાં  નારણ કાછડીયાનું પત્તું કપાય શકે છે અને આવાતો અનેક નામ છે જેના પત્તું કપાય શકે છે ત્યારે કોનું પત્તું કપાય છે કોને લોટરી લાગે છે તે જોવાનું રહ્યું..



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે