Gujarat : Congress ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેની પહેલા જાણીલો સંભવિત ઉમેદવારોના નામ, ઉમેદવાર બને તે પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર!


  • Published By :
  • Published Date : 2024-03-12 17:03:30

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રોજ રાજનીતિમાં નવો ભૂકંપ આવે છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે જેમાં ગુજરાત કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે પણ અમુક નામો એવા છે જે જાહેર થાય પહેલા જ ફિક્ષ જેવા જ છે. એવું માનવામાં આવે છે કે તેમને જાણ કરી દેવામાં આવી છે કે તે ચૂંટણી માટે તૈયારી કરી રાખે.  


62 બેઠકો માટે કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારના નામ જાહેર 

આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે તેવી વાતો થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના તો જાણે નક્કી જ છે  દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. 


કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?

હાઈકમાન્ડે મોટા ભાગના ઉમેદવારોને અત્યારથી કહી દીધું છે કે તમે તૈયારીઓ શરૂ કરી દો જો પોરબંદરથી કોંગ્રેસ લલીત વસોયાને મેદાને ઉતરે છે તો એમની સામે મનસુખ માંડવિયા મેદાને છે , બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નક્કી જેવુ છે વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં પણ ચિત્ર ક્લિયર છે કે ત્યાં ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે રેખા બેન સામે ત્યાં ગેની બેન પણ અહિયાં કોકડું ગુંચવાયું છે કારણકે કાંતિ ખરાડીએ પણ ઉમેદવારીની વાત કરી છે 


પોતાના ધારાસભ્યોને કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર તરીકે!

વાત ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની કરીએ તો કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ જાણીતા છે 


ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર કર્યા છે જાહેર 

ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ગઠબંધનના ઉમેદવાર નક્કી છે જેમાં ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે હવે આ વાત તો કોંગ્રેસ અને ગઠબંધનની હવે વાત ભાજપની કરીએ તો ભાજપની પણ બેઠકો ચાલી રહી છે ભાજપે સૌથી પહેલા 195 ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાંથી 15 ઉમેદવાર ગુજરાતના હતા.હવે બાકીની 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપિટ થીયરી અપનાવી શકે છે.જેમાં અમરેલીમાં  નારણ કાછડીયાનું પત્તું કપાય શકે છે અને આવાતો અનેક નામ છે જેના પત્તું કપાય શકે છે ત્યારે કોનું પત્તું કપાય છે કોને લોટરી લાગે છે તે જોવાનું રહ્યું..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.