Gujarat : એક તરફ કોંગ્રેસે ચાર બેઠકો પર ઉમેદવાર નથી કર્યા જાહેર તો બીજી તરફ ભાજપના ઉમેદવાર આ તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ..! કરશે શક્તિપ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-12 14:46:08

થોડા દિવસો બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે ચાર બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.. ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા છે. કોંગ્રેસ ઉમેદવાર ક્યારે જાહેર કરશે તેની પર સૌની નજર રહેલી છે તો આ બધા વચ્ચે ભાજપના ઉમેદવારો આવનાર દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વાત સામે  આવી છે....

Gandhinagar: gujarat congress president will be change in soon, three name  on the top discussion | Gandhinagar: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બદલાશે ? આ  નામો છે ચર્ચામાં ટોપ પર...

 

ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી કર્યા જાહેર 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેવદાર ઉતાર્યા છે. ભાજપે ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા અનેક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થયો હતો. બે બેઠકો પર ઉમેદવાર બદલ્યા છે પરંતુ તો પણ અનેક બેઠકો એવી છે જ્યાં  ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે તેની માહિતી સામે આવી છે....     

 Amit Shah

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India


કોણ ક્યારે ભરશે ઉમેદવારી ફોર્મ? 

મળતી માહિતી અનુસાર પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા 15 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ પણ 15 એપ્રિલે ફોર્મ ભરશે ઉપરાંત સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેમજ વલસાડથી ધવલ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલના ઉમેદવાર જયદિપસિંહ પરમાર પણ આ તારીખે ફોર્મ ભરશે... જ્યારે 16 એપ્રિલે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જેમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવાર નોંધાવશે.



તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 16 તારીખે નામાંકન કરશે... તે ઉપરાંત જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે નામાંકન નોંધાવશે. 

Chances of Mansukh Mandaviya repeating are negligible | ​​​​​​​મનસુખ  માંડવિયા રીપિટ થવાની સંભાવના નહિવત્: એક સિનિયર પાટીદાર નેતા રાજ્યસભામાં જઈ  શકે, OBCને બે સીટ પર ...

Banaskantha Lok Sabha candidate Dr. Rekhaben Chaudhary's name announced,  wave of happiness among BJP workers | ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર:  બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ...

અમિત શાહ આ તારીખે દાખલ કરાવી શકે છે નામાંકન

તે સિવાય નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલ, અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયા અને જામનગરના ઉમેદવાર પુનમ માડમ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રહેશે. મહત્વનું છે કે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા માટે જશે તેની પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે... પ્રચંડ રોડશોનું આયોજન પણ કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે.     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.