Gujarat : એક તરફ કોંગ્રેસે ચાર બેઠકો પર ઉમેદવાર નથી કર્યા જાહેર તો બીજી તરફ ભાજપના ઉમેદવાર આ તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ..! કરશે શક્તિપ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-12 14:46:08

થોડા દિવસો બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે ચાર બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.. ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા છે. કોંગ્રેસ ઉમેદવાર ક્યારે જાહેર કરશે તેની પર સૌની નજર રહેલી છે તો આ બધા વચ્ચે ભાજપના ઉમેદવારો આવનાર દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વાત સામે  આવી છે....

Gandhinagar: gujarat congress president will be change in soon, three name  on the top discussion | Gandhinagar: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બદલાશે ? આ  નામો છે ચર્ચામાં ટોપ પર...

 

ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી કર્યા જાહેર 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેવદાર ઉતાર્યા છે. ભાજપે ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા અનેક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થયો હતો. બે બેઠકો પર ઉમેદવાર બદલ્યા છે પરંતુ તો પણ અનેક બેઠકો એવી છે જ્યાં  ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે તેની માહિતી સામે આવી છે....     

 Amit Shah

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India


કોણ ક્યારે ભરશે ઉમેદવારી ફોર્મ? 

મળતી માહિતી અનુસાર પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા 15 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ પણ 15 એપ્રિલે ફોર્મ ભરશે ઉપરાંત સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેમજ વલસાડથી ધવલ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલના ઉમેદવાર જયદિપસિંહ પરમાર પણ આ તારીખે ફોર્મ ભરશે... જ્યારે 16 એપ્રિલે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જેમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવાર નોંધાવશે.



તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 16 તારીખે નામાંકન કરશે... તે ઉપરાંત જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે નામાંકન નોંધાવશે. 

Chances of Mansukh Mandaviya repeating are negligible | ​​​​​​​મનસુખ  માંડવિયા રીપિટ થવાની સંભાવના નહિવત્: એક સિનિયર પાટીદાર નેતા રાજ્યસભામાં જઈ  શકે, OBCને બે સીટ પર ...

Banaskantha Lok Sabha candidate Dr. Rekhaben Chaudhary's name announced,  wave of happiness among BJP workers | ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર:  બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ...

અમિત શાહ આ તારીખે દાખલ કરાવી શકે છે નામાંકન

તે સિવાય નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલ, અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયા અને જામનગરના ઉમેદવાર પુનમ માડમ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રહેશે. મહત્વનું છે કે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા માટે જશે તેની પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે... પ્રચંડ રોડશોનું આયોજન પણ કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે.     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે