Gujarat : એક તરફ કોંગ્રેસે ચાર બેઠકો પર ઉમેદવાર નથી કર્યા જાહેર તો બીજી તરફ ભાજપના ઉમેદવાર આ તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ..! કરશે શક્તિપ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-12 14:46:08

થોડા દિવસો બાદ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે ચાર બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.. ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા છે. કોંગ્રેસ ઉમેદવાર ક્યારે જાહેર કરશે તેની પર સૌની નજર રહેલી છે તો આ બધા વચ્ચે ભાજપના ઉમેદવારો આવનાર દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વાત સામે  આવી છે....

Gandhinagar: gujarat congress president will be change in soon, three name  on the top discussion | Gandhinagar: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બદલાશે ? આ  નામો છે ચર્ચામાં ટોપ પર...

 

ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી કર્યા જાહેર 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેવદાર ઉતાર્યા છે. ભાજપે ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા અનેક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થયો હતો. બે બેઠકો પર ઉમેદવાર બદલ્યા છે પરંતુ તો પણ અનેક બેઠકો એવી છે જ્યાં  ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવારો ક્યારે ઉમેદવારી ફોર્મ ભરશે તેની માહિતી સામે આવી છે....     

 Amit Shah

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India


કોણ ક્યારે ભરશે ઉમેદવારી ફોર્મ? 

મળતી માહિતી અનુસાર પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા 15 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ પણ 15 એપ્રિલે ફોર્મ ભરશે ઉપરાંત સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેમજ વલસાડથી ધવલ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલના ઉમેદવાર જયદિપસિંહ પરમાર પણ આ તારીખે ફોર્મ ભરશે... જ્યારે 16 એપ્રિલે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જેમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવાર નોંધાવશે.



તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 16 તારીખે નામાંકન કરશે... તે ઉપરાંત જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે નામાંકન નોંધાવશે. 

Chances of Mansukh Mandaviya repeating are negligible | ​​​​​​​મનસુખ  માંડવિયા રીપિટ થવાની સંભાવના નહિવત્: એક સિનિયર પાટીદાર નેતા રાજ્યસભામાં જઈ  શકે, OBCને બે સીટ પર ...

Banaskantha Lok Sabha candidate Dr. Rekhaben Chaudhary's name announced,  wave of happiness among BJP workers | ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર:  બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ...

અમિત શાહ આ તારીખે દાખલ કરાવી શકે છે નામાંકન

તે સિવાય નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલ, અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયા અને જામનગરના ઉમેદવાર પુનમ માડમ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રહેશે. મહત્વનું છે કે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા માટે જશે તેની પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે... પ્રચંડ રોડશોનું આયોજન પણ કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.