Gujarat : એક તરફ BJPના ઉમેદવારોના નામને લઈ આતુરતા હતી,તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ બેઠકો પર ઉમેદવારો બદલાશે..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-21 12:14:47

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ધીમે ધીમે ચૂંટણીનો માહોલ પણ જામશે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે. એક તરફ મતદાતાઓને ઉમેદવારોના નામને લઈ ઉત્સુક્તા જોવા મળી રહી છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર કોણ તે જાણવાનો રસ મતદાતાઓને હોય છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી લીધી છે પરંતુ હવે એવી વાતો થવા લાગી છે કે બે ઉમેદવારોની ટિકીટ ભાજપ પાછી લઈ શકે છે અને એ છે બનાસકાંઠાની તેમજ વલસાડની બેઠક. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રેખાબેન ચૌધરી તેમજ ધવલ પટેલની ઉમેદવારી પાછી ભાજપ લઈ શકે છે.     


22 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે 

ગુજરાતમાં 26 લોકસભા સીટો આવેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે જાહેર કર્યા છે. પરંતુ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેને કારણે 6 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે જ્યારે ગઠબંધન અંતર્ગત બે સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અનેક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે. 


આ બેઠકો માટે ભાજપ બદલી શકે છે ઉમેદવાર!

એવી ચર્ચાઓ થઈ રહી છે કે બે બેઠકો પર ભાજપ ઉમેદવારોને બદલી શકે છે. અને એ બેઠક છે વલસાડ તેમજ બનાસકાંઠા બેઠક. બનાસકાંઠામાં ભાજપે રેખાચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસે પણ મજબૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પર બેન Vs બેનની ટક્કર જોવા મળવાની છે. તો બીજી તરફ વલસાડ બેઠક માટે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે ભાજપ જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ ઉમેદવારોના નામને બદલે છે કે આ માત્ર વાતો છે... 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે