Gujarat : એક તરફ BJPના ઉમેદવારોના નામને લઈ આતુરતા હતી,તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ બેઠકો પર ઉમેદવારો બદલાશે..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-21 12:14:47

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ધીમે ધીમે ચૂંટણીનો માહોલ પણ જામશે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે. એક તરફ મતદાતાઓને ઉમેદવારોના નામને લઈ ઉત્સુક્તા જોવા મળી રહી છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર કોણ તે જાણવાનો રસ મતદાતાઓને હોય છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી લીધી છે પરંતુ હવે એવી વાતો થવા લાગી છે કે બે ઉમેદવારોની ટિકીટ ભાજપ પાછી લઈ શકે છે અને એ છે બનાસકાંઠાની તેમજ વલસાડની બેઠક. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રેખાબેન ચૌધરી તેમજ ધવલ પટેલની ઉમેદવારી પાછી ભાજપ લઈ શકે છે.     


22 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે 

ગુજરાતમાં 26 લોકસભા સીટો આવેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે જાહેર કર્યા છે. પરંતુ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેને કારણે 6 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે જ્યારે ગઠબંધન અંતર્ગત બે સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અનેક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે. 


આ બેઠકો માટે ભાજપ બદલી શકે છે ઉમેદવાર!

એવી ચર્ચાઓ થઈ રહી છે કે બે બેઠકો પર ભાજપ ઉમેદવારોને બદલી શકે છે. અને એ બેઠક છે વલસાડ તેમજ બનાસકાંઠા બેઠક. બનાસકાંઠામાં ભાજપે રેખાચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસે પણ મજબૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પર બેન Vs બેનની ટક્કર જોવા મળવાની છે. તો બીજી તરફ વલસાડ બેઠક માટે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે ભાજપ જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ ઉમેદવારોના નામને બદલે છે કે આ માત્ર વાતો છે... 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.