જે લડે છે તે જીતે છે, ગુજરાત પોલીસે સાબિત કરી બતાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:33:38

ગુજરાત પોલીસ પરિવારને આનંદો! ગુજરાત પોલીસ પરિવારે ગ્રેડ-પે અને ભથ્થા મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો તે સફળ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એલઆરડી, હેડકોન્સ્ટેબલ અને પીએસઆઈ જવાનોનો પગાર વધેલા ભથ્થા સાથે આવ્યો છે. ગુજરાત પોલીસ પરિવારે ગુજરાતને દેખાડ્યું છે કે જે લડે છે તે જ જીતે છે. 


શું હતી ગુજરાત પોલીસની માગણી?

ગુજરાત પોલીસની જૂની માગણી હતી કે તેમના પગાર ભથ્થામાં અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે. લાંબા સંઘર્ષ બાદ આ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પોલીસની ગ્રેડ-પેની માગણી પર સરકારે અગાઉથી જ સંકેત આપી દીધા હતા કે ગ્રેડ-પેમાં વધારો કરવામાં નહીં આવે. અંતે ગુજરાત સરકારે જે પગાર ભથ્થા વધારાની જાહેરાત કરી હતી તે પોલીસના ખાતામાં આવી ગયો છે. 


પોલીસ પરિવાર ગ્રેડ-પે અને ભથ્થાની માગ સાથે જંગે ચઢ્યા હતા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પોતાની માગણીઓ માટે લડી રહ્યું હતું જે આ વિધાનસભા ચૂંટણીમાં પાર પડ્યું છે. વર્ષોની લડાઈ બાદ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ જવાનોની માગણી સ્વીકારી લીધી હતી અને પોલીસને પોતાના હકની લડાઈમાં જીત મળી હતી. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.