જે લડે છે તે જીતે છે, ગુજરાત પોલીસે સાબિત કરી બતાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:33:38

ગુજરાત પોલીસ પરિવારને આનંદો! ગુજરાત પોલીસ પરિવારે ગ્રેડ-પે અને ભથ્થા મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો તે સફળ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એલઆરડી, હેડકોન્સ્ટેબલ અને પીએસઆઈ જવાનોનો પગાર વધેલા ભથ્થા સાથે આવ્યો છે. ગુજરાત પોલીસ પરિવારે ગુજરાતને દેખાડ્યું છે કે જે લડે છે તે જ જીતે છે. 


શું હતી ગુજરાત પોલીસની માગણી?

ગુજરાત પોલીસની જૂની માગણી હતી કે તેમના પગાર ભથ્થામાં અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે. લાંબા સંઘર્ષ બાદ આ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પોલીસની ગ્રેડ-પેની માગણી પર સરકારે અગાઉથી જ સંકેત આપી દીધા હતા કે ગ્રેડ-પેમાં વધારો કરવામાં નહીં આવે. અંતે ગુજરાત સરકારે જે પગાર ભથ્થા વધારાની જાહેરાત કરી હતી તે પોલીસના ખાતામાં આવી ગયો છે. 


પોલીસ પરિવાર ગ્રેડ-પે અને ભથ્થાની માગ સાથે જંગે ચઢ્યા હતા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પોતાની માગણીઓ માટે લડી રહ્યું હતું જે આ વિધાનસભા ચૂંટણીમાં પાર પડ્યું છે. વર્ષોની લડાઈ બાદ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ જવાનોની માગણી સ્વીકારી લીધી હતી અને પોલીસને પોતાના હકની લડાઈમાં જીત મળી હતી. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"