જે લડે છે તે જીતે છે, ગુજરાત પોલીસે સાબિત કરી બતાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:33:38

ગુજરાત પોલીસ પરિવારને આનંદો! ગુજરાત પોલીસ પરિવારે ગ્રેડ-પે અને ભથ્થા મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો તે સફળ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એલઆરડી, હેડકોન્સ્ટેબલ અને પીએસઆઈ જવાનોનો પગાર વધેલા ભથ્થા સાથે આવ્યો છે. ગુજરાત પોલીસ પરિવારે ગુજરાતને દેખાડ્યું છે કે જે લડે છે તે જ જીતે છે. 


શું હતી ગુજરાત પોલીસની માગણી?

ગુજરાત પોલીસની જૂની માગણી હતી કે તેમના પગાર ભથ્થામાં અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે. લાંબા સંઘર્ષ બાદ આ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પોલીસની ગ્રેડ-પેની માગણી પર સરકારે અગાઉથી જ સંકેત આપી દીધા હતા કે ગ્રેડ-પેમાં વધારો કરવામાં નહીં આવે. અંતે ગુજરાત સરકારે જે પગાર ભથ્થા વધારાની જાહેરાત કરી હતી તે પોલીસના ખાતામાં આવી ગયો છે. 


પોલીસ પરિવાર ગ્રેડ-પે અને ભથ્થાની માગ સાથે જંગે ચઢ્યા હતા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પોતાની માગણીઓ માટે લડી રહ્યું હતું જે આ વિધાનસભા ચૂંટણીમાં પાર પડ્યું છે. વર્ષોની લડાઈ બાદ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ જવાનોની માગણી સ્વીકારી લીધી હતી અને પોલીસને પોતાના હકની લડાઈમાં જીત મળી હતી. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .