જે લડે છે તે જીતે છે, ગુજરાત પોલીસે સાબિત કરી બતાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:33:38

ગુજરાત પોલીસ પરિવારને આનંદો! ગુજરાત પોલીસ પરિવારે ગ્રેડ-પે અને ભથ્થા મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો તે સફળ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એલઆરડી, હેડકોન્સ્ટેબલ અને પીએસઆઈ જવાનોનો પગાર વધેલા ભથ્થા સાથે આવ્યો છે. ગુજરાત પોલીસ પરિવારે ગુજરાતને દેખાડ્યું છે કે જે લડે છે તે જ જીતે છે. 


શું હતી ગુજરાત પોલીસની માગણી?

ગુજરાત પોલીસની જૂની માગણી હતી કે તેમના પગાર ભથ્થામાં અને ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવે. લાંબા સંઘર્ષ બાદ આ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પોલીસની ગ્રેડ-પેની માગણી પર સરકારે અગાઉથી જ સંકેત આપી દીધા હતા કે ગ્રેડ-પેમાં વધારો કરવામાં નહીં આવે. અંતે ગુજરાત સરકારે જે પગાર ભથ્થા વધારાની જાહેરાત કરી હતી તે પોલીસના ખાતામાં આવી ગયો છે. 


પોલીસ પરિવાર ગ્રેડ-પે અને ભથ્થાની માગ સાથે જંગે ચઢ્યા હતા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ પોતાની માગણીઓ માટે લડી રહ્યું હતું જે આ વિધાનસભા ચૂંટણીમાં પાર પડ્યું છે. વર્ષોની લડાઈ બાદ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ જવાનોની માગણી સ્વીકારી લીધી હતી અને પોલીસને પોતાના હકની લડાઈમાં જીત મળી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.