Gujarat Policeએ બતાવી માનવતા! વીડિયો શેર કરતા લખ્યું ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 16:39:25

પોલીસની છબી આપણા માનસ પર એવી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે નકારાત્મક વિચાર આવે. પોલીસ તોડ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે કે પછી પોલીસની દાદાગીરી કરતી છબી આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે પોલીસના બીજા એક ચહેરાની વાત કરવી છે જે બહુ ભાગ્યે જોવા મળતો હોય છે, પરંતુ પોલીસનો સારો ચહેરો પણ હોય છે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં પોલીસની માનવતા બતાવવામાં આવી છે. સુરતની અડજણ પોલીસ એક વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ લઈ ગયા અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી.    

પોલીસની આવી છબી બહુ ઓછી જોવા મળે છે!

ગુજરાતની પોલીસની વાત ઘણી વખત થાય છે પરંતુ નેગેટિવ રીતે થાય છે. પોલીસની છાપ એટલી બધી ખરાબ થઈ ગઈ છે જ્યારે પણ પોલીસ શબ્દ આપણા કાનમાં પડે ત્યારે ભ્રષ્ટાચાર કરતા પોલીસકર્મી, લોકોને કામ વગર હેરાન કરતા પોલીસકર્મીઓના ચહેરા સામે આવી જાય! આજે વાત પોલીસની કરવી છે પરંતુ સારા સંદર્ભમાં. અનેક વખત પોલીસના ખરાબ કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત સારા કામની વાતો પણ બિરદાવવી જોઈએ.પોલીસ વિભાગમાં પણ અનેક એવા કર્મચારીઓ છે જેને જોઈ લાગે કે પોલીસ પર વિશ્વાસ હજી પણ કરી શકાય છે. 


ગુજરાત પોલીસ દ્વારા વીડિયો કરવામાં આવ્યો શેર જેમાં લખ્યું હતું...

ગુજરાત પોલીસ દ્વારા પોલીસની કામગીરીને લઈ અનેક ટ્વિટ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને દર્શાવવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા માનવતાના કાર્યો બતાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ટ્વિટ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રસ્તા પર રહેતા વૃદ્ધ મહિલાની વ્હારે પોલીસ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા ગુજરાત પોલીસે લખ્યું કે  


ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ ! સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

આ ટ્વિટને હર્ષ સંઘવીએ રિ-શેર કરી છે અને લખ્યું છે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. મહત્વનું છે પોલીસનો આવો ચહેરો પણ છે પરંતુ બહુ ઓછી વખત દેખાતો હોય છે. 



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.