Gujarat Policeએ બતાવી માનવતા! વીડિયો શેર કરતા લખ્યું ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 16:39:25

પોલીસની છબી આપણા માનસ પર એવી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે નકારાત્મક વિચાર આવે. પોલીસ તોડ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે કે પછી પોલીસની દાદાગીરી કરતી છબી આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે પોલીસના બીજા એક ચહેરાની વાત કરવી છે જે બહુ ભાગ્યે જોવા મળતો હોય છે, પરંતુ પોલીસનો સારો ચહેરો પણ હોય છે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં પોલીસની માનવતા બતાવવામાં આવી છે. સુરતની અડજણ પોલીસ એક વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ લઈ ગયા અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી.    

પોલીસની આવી છબી બહુ ઓછી જોવા મળે છે!

ગુજરાતની પોલીસની વાત ઘણી વખત થાય છે પરંતુ નેગેટિવ રીતે થાય છે. પોલીસની છાપ એટલી બધી ખરાબ થઈ ગઈ છે જ્યારે પણ પોલીસ શબ્દ આપણા કાનમાં પડે ત્યારે ભ્રષ્ટાચાર કરતા પોલીસકર્મી, લોકોને કામ વગર હેરાન કરતા પોલીસકર્મીઓના ચહેરા સામે આવી જાય! આજે વાત પોલીસની કરવી છે પરંતુ સારા સંદર્ભમાં. અનેક વખત પોલીસના ખરાબ કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત સારા કામની વાતો પણ બિરદાવવી જોઈએ.પોલીસ વિભાગમાં પણ અનેક એવા કર્મચારીઓ છે જેને જોઈ લાગે કે પોલીસ પર વિશ્વાસ હજી પણ કરી શકાય છે. 


ગુજરાત પોલીસ દ્વારા વીડિયો કરવામાં આવ્યો શેર જેમાં લખ્યું હતું...

ગુજરાત પોલીસ દ્વારા પોલીસની કામગીરીને લઈ અનેક ટ્વિટ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને દર્શાવવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા માનવતાના કાર્યો બતાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ટ્વિટ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રસ્તા પર રહેતા વૃદ્ધ મહિલાની વ્હારે પોલીસ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા ગુજરાત પોલીસે લખ્યું કે  


ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ ! સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

આ ટ્વિટને હર્ષ સંઘવીએ રિ-શેર કરી છે અને લખ્યું છે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. મહત્વનું છે પોલીસનો આવો ચહેરો પણ છે પરંતુ બહુ ઓછી વખત દેખાતો હોય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.