Gujarat Policeએ બતાવી માનવતા! વીડિયો શેર કરતા લખ્યું ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 16:39:25

પોલીસની છબી આપણા માનસ પર એવી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે નકારાત્મક વિચાર આવે. પોલીસ તોડ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે કે પછી પોલીસની દાદાગીરી કરતી છબી આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે પોલીસના બીજા એક ચહેરાની વાત કરવી છે જે બહુ ભાગ્યે જોવા મળતો હોય છે, પરંતુ પોલીસનો સારો ચહેરો પણ હોય છે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં પોલીસની માનવતા બતાવવામાં આવી છે. સુરતની અડજણ પોલીસ એક વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ લઈ ગયા અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી.    

પોલીસની આવી છબી બહુ ઓછી જોવા મળે છે!

ગુજરાતની પોલીસની વાત ઘણી વખત થાય છે પરંતુ નેગેટિવ રીતે થાય છે. પોલીસની છાપ એટલી બધી ખરાબ થઈ ગઈ છે જ્યારે પણ પોલીસ શબ્દ આપણા કાનમાં પડે ત્યારે ભ્રષ્ટાચાર કરતા પોલીસકર્મી, લોકોને કામ વગર હેરાન કરતા પોલીસકર્મીઓના ચહેરા સામે આવી જાય! આજે વાત પોલીસની કરવી છે પરંતુ સારા સંદર્ભમાં. અનેક વખત પોલીસના ખરાબ કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત સારા કામની વાતો પણ બિરદાવવી જોઈએ.પોલીસ વિભાગમાં પણ અનેક એવા કર્મચારીઓ છે જેને જોઈ લાગે કે પોલીસ પર વિશ્વાસ હજી પણ કરી શકાય છે. 


ગુજરાત પોલીસ દ્વારા વીડિયો કરવામાં આવ્યો શેર જેમાં લખ્યું હતું...

ગુજરાત પોલીસ દ્વારા પોલીસની કામગીરીને લઈ અનેક ટ્વિટ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને દર્શાવવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા માનવતાના કાર્યો બતાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ટ્વિટ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રસ્તા પર રહેતા વૃદ્ધ મહિલાની વ્હારે પોલીસ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા ગુજરાત પોલીસે લખ્યું કે  


ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ ! સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

આ ટ્વિટને હર્ષ સંઘવીએ રિ-શેર કરી છે અને લખ્યું છે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. મહત્વનું છે પોલીસનો આવો ચહેરો પણ છે પરંતુ બહુ ઓછી વખત દેખાતો હોય છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.