Gujarat Policeએ બતાવી માનવતા! વીડિયો શેર કરતા લખ્યું ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 16:39:25

પોલીસની છબી આપણા માનસ પર એવી ખરાબ થઈ ગઈ છે કે જ્યારે પણ આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે નકારાત્મક વિચાર આવે. પોલીસ તોડ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવે કે પછી પોલીસની દાદાગીરી કરતી છબી આપણી સામે આવતી હોય છે. ત્યારે આજે પોલીસના બીજા એક ચહેરાની વાત કરવી છે જે બહુ ભાગ્યે જોવા મળતો હોય છે, પરંતુ પોલીસનો સારો ચહેરો પણ હોય છે તેવી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં પોલીસની માનવતા બતાવવામાં આવી છે. સુરતની અડજણ પોલીસ એક વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ લઈ ગયા અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી.    

પોલીસની આવી છબી બહુ ઓછી જોવા મળે છે!

ગુજરાતની પોલીસની વાત ઘણી વખત થાય છે પરંતુ નેગેટિવ રીતે થાય છે. પોલીસની છાપ એટલી બધી ખરાબ થઈ ગઈ છે જ્યારે પણ પોલીસ શબ્દ આપણા કાનમાં પડે ત્યારે ભ્રષ્ટાચાર કરતા પોલીસકર્મી, લોકોને કામ વગર હેરાન કરતા પોલીસકર્મીઓના ચહેરા સામે આવી જાય! આજે વાત પોલીસની કરવી છે પરંતુ સારા સંદર્ભમાં. અનેક વખત પોલીસના ખરાબ કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત સારા કામની વાતો પણ બિરદાવવી જોઈએ.પોલીસ વિભાગમાં પણ અનેક એવા કર્મચારીઓ છે જેને જોઈ લાગે કે પોલીસ પર વિશ્વાસ હજી પણ કરી શકાય છે. 


ગુજરાત પોલીસ દ્વારા વીડિયો કરવામાં આવ્યો શેર જેમાં લખ્યું હતું...

ગુજરાત પોલીસ દ્વારા પોલીસની કામગીરીને લઈ અનેક ટ્વિટ કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીને દર્શાવવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા માનવતાના કાર્યો બતાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ટ્વિટ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. રસ્તા પર રહેતા વૃદ્ધ મહિલાની વ્હારે પોલીસ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા ગુજરાત પોલીસે લખ્યું કે  


ગુજરાત પોલીસ માટે ફરજ અને કર્મશીલતા સાથે માનવતા પરમ ધર્મ ! સુરતના અડાજણમાં ફૂટપાથ પર રહેતા અશક્ત વૃદ્ધ મહિલા બીમાર હોવાની માહિતી મળતા અડાજણ પોલીસ દ્વારા સ્થળ પર જઈને, આ વૃદ્ધ માજીની ન માત્ર સારવાર કરાવવામાં આવી પણ એક વૃદ્ધાશ્રમમાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

આ ટ્વિટને હર્ષ સંઘવીએ રિ-શેર કરી છે અને લખ્યું છે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કરુણા ભાવ થકી અનેક લોકોને સુરક્ષા, સલામતી અને સેવા મળી રહી છે. મહત્વનું છે પોલીસનો આવો ચહેરો પણ છે પરંતુ બહુ ઓછી વખત દેખાતો હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.