Gujarat : વિધાનસભા પરિસરમાં Congressના ધારાસભ્યોનો વિરોધ, અદાણીને સરકારે રૂ. ૮૨૦૦ કરોડ વધારે ફાળવવા મુદ્દે કર્યો હોબાળો!


  • Published By :
  • Published Date : 2024-02-06 14:08:40

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પહેલેથી આક્રામક દેખાઈ રહી છે. સંસદમાં પણ જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદો હોબાળો કરતા હતા અને અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. 

વિપક્ષે વિધાનસભામાં કર્યો હોબાળો!

ઉર્જાને લઈ અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. કેટલા ચાર્જ વસુલવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી પરંતુ ચાર્જ કરતા વધારે ચાર્જ લેવામાં આવે છે તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવ્યો. સત્રમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો જેનો જવાબ ઉર્જા મંત્રીએ આપ્યો હતો. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.