Gujarat : વિધાનસભા પરિસરમાં Congressના ધારાસભ્યોનો વિરોધ, અદાણીને સરકારે રૂ. ૮૨૦૦ કરોડ વધારે ફાળવવા મુદ્દે કર્યો હોબાળો!


  • Published By :
  • Published Date : 2024-02-06 14:08:40

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પહેલેથી આક્રામક દેખાઈ રહી છે. સંસદમાં પણ જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદો હોબાળો કરતા હતા અને અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. 

વિપક્ષે વિધાનસભામાં કર્યો હોબાળો!

ઉર્જાને લઈ અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. કેટલા ચાર્જ વસુલવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી પરંતુ ચાર્જ કરતા વધારે ચાર્જ લેવામાં આવે છે તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવ્યો. સત્રમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો જેનો જવાબ ઉર્જા મંત્રીએ આપ્યો હતો. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે