Gujarat : વિધાનસભા પરિસરમાં Congressના ધારાસભ્યોનો વિરોધ, અદાણીને સરકારે રૂ. ૮૨૦૦ કરોડ વધારે ફાળવવા મુદ્દે કર્યો હોબાળો!


  • Published By :
  • Published Date : 2024-02-06 14:08:40

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પહેલેથી આક્રામક દેખાઈ રહી છે. સંસદમાં પણ જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદો હોબાળો કરતા હતા અને અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. 

વિપક્ષે વિધાનસભામાં કર્યો હોબાળો!

ઉર્જાને લઈ અદાણી સાથે કરાર કરવામાં આવ્યા છે. કેટલા ચાર્જ વસુલવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી પરંતુ ચાર્જ કરતા વધારે ચાર્જ લેવામાં આવે છે તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવ્યો. સત્રમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો જેનો જવાબ ઉર્જા મંત્રીએ આપ્યો હતો. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.