ગુજરાત જાહેર સેવા આયોગના ઉમેદવારોને ઝટકો, આ પરીક્ષાઓ રખાઈ મોકૂફ, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-07 15:12:08

ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2ની ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે માઠાં સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે તેની પૂર્વ નિર્ધારીત ઉપરોક્ત બંને પરીક્ષાઓ મોકુફ રાખી છે. તે જ પ્રકારે ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. 



શા માટે પરીક્ષા મોકૂફ રખાઈ?


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત તા. 02,09,16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર (જા. ક્ર. 20/ 2022-23) ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


આયોગ નવી તારીખ જાહેર કરશે


ગુજરાત જાહેર સેવા આયોગની પૂર્વનિર્ધારીત પરીક્ષાઓ મોકૂફ થતાં હવે આયોગ હવે નવી તારીખ તેની વેબસાઈટ પર જાહેર કરશે. એક વખત તારીખ નક્કી થયા બાદ તે નવી તારીખ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે આયોગે તમામ ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.