ગુજરાત જાહેર સેવા આયોગના ઉમેદવારોને ઝટકો, આ પરીક્ષાઓ રખાઈ મોકૂફ, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-07 15:12:08

ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2ની ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે માઠાં સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે તેની પૂર્વ નિર્ધારીત ઉપરોક્ત બંને પરીક્ષાઓ મોકુફ રાખી છે. તે જ પ્રકારે ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. 



શા માટે પરીક્ષા મોકૂફ રખાઈ?


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત તા. 02,09,16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર (જા. ક્ર. 20/ 2022-23) ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


આયોગ નવી તારીખ જાહેર કરશે


ગુજરાત જાહેર સેવા આયોગની પૂર્વનિર્ધારીત પરીક્ષાઓ મોકૂફ થતાં હવે આયોગ હવે નવી તારીખ તેની વેબસાઈટ પર જાહેર કરશે. એક વખત તારીખ નક્કી થયા બાદ તે નવી તારીખ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે આયોગે તમામ ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.