ગુજરાત પર મેઘરાજા મહેરબાન! વરસાદને કારણે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-06 10:16:03

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. એક બે દિવસનો વિરામ વરસાદે લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળવા માટે તૈયાર છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈ અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે ઉપરાંત 9 જુલાઈ સુધી અનેક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જુલાઈ દરમિયાન અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જો આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મેઘમહેર જોવા મળી શકે છે.  


ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું 

ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આવતી કાલનો દિવસ એલર્ટોથી ભરેલો રહેશે. અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો 8 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.તો મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા, ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


મેઘમહેર ઘણી વખત ફેરવાય છે મેઘકહેરમાં 

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધારે હતો. વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ છે. અનેક જગ્યાઓ પર ધોધ વરસી રહ્યા છે. પરંતુ મુશ્કેલીએ પણ થતી હોય છે કે મેઘમહેર અનેક વખત મેઘકહેરમાં ફેરવાઈ જતી હોય છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ઘર ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય જેમાં પણ મૃત્યુના આંકડાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પશુધનને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.