ગુજરાત પર મેઘરાજા મહેરબાન! વરસાદને કારણે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-06 10:16:03

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. એક બે દિવસનો વિરામ વરસાદે લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળવા માટે તૈયાર છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈ અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે ઉપરાંત 9 જુલાઈ સુધી અનેક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જુલાઈ દરમિયાન અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જો આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મેઘમહેર જોવા મળી શકે છે.  


ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું 

ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આવતી કાલનો દિવસ એલર્ટોથી ભરેલો રહેશે. અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો 8 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.તો મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા, ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


મેઘમહેર ઘણી વખત ફેરવાય છે મેઘકહેરમાં 

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધારે હતો. વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ છે. અનેક જગ્યાઓ પર ધોધ વરસી રહ્યા છે. પરંતુ મુશ્કેલીએ પણ થતી હોય છે કે મેઘમહેર અનેક વખત મેઘકહેરમાં ફેરવાઈ જતી હોય છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ઘર ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય જેમાં પણ મૃત્યુના આંકડાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પશુધનને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે