રાજ્ય માટે આગામી 24 કલાક 'ભારે', આજી ડેમ અને ભાદર ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમની સપાટી 36 સેમી વધી


  • Published By :
  • Published Date : 2023-07-23 17:39:57

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સતત અને ભારે વરસાદથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે હજુ થોડા દિવસ મુશળધાર વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 કલાક ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. 23 અને 24 તારીખે વરસાદનું જોર ગુજરાત પર રહ્યા બાદ સિસ્ટમ દૂર થવાથી વરસાદ ઘટી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.


આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ


આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ છે. જેમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ભાવનગરનો સમાવેશ કરાયો છે અહીં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, એવલ્લી, નવસારી, વલસાડ, અને જૂનાગઢ ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવી છે.


આજી નદી ગાંડીતુર બની


રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.


આજી ડેમ 01 અને  ભાદર ડેમ 01 ઓવરફ્લો 


ભારે વરસાદના પગલે રાજકોટ શહેરને પૂરું પાડતો. આજી ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ભાદર ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ભાદર 01 ડેમ રાજકોટ, ગોંડલ, જેતપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. નીચાણવાળા 30 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.


સરદાર સરોવર ડેમની જળ સપાટી  36 સેમી વધી


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.