રાજ્ય માટે આગામી 24 કલાક 'ભારે', આજી ડેમ અને ભાદર ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમની સપાટી 36 સેમી વધી


  • Published By :
  • Published Date : 2023-07-23 17:39:57

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સતત અને ભારે વરસાદથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે હજુ થોડા દિવસ મુશળધાર વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 કલાક ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. 23 અને 24 તારીખે વરસાદનું જોર ગુજરાત પર રહ્યા બાદ સિસ્ટમ દૂર થવાથી વરસાદ ઘટી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.


આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ


આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ છે. જેમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ભાવનગરનો સમાવેશ કરાયો છે અહીં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, એવલ્લી, નવસારી, વલસાડ, અને જૂનાગઢ ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવી છે.


આજી નદી ગાંડીતુર બની


રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.


આજી ડેમ 01 અને  ભાદર ડેમ 01 ઓવરફ્લો 


ભારે વરસાદના પગલે રાજકોટ શહેરને પૂરું પાડતો. આજી ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ભાદર ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ભાદર 01 ડેમ રાજકોટ, ગોંડલ, જેતપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. નીચાણવાળા 30 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.


સરદાર સરોવર ડેમની જળ સપાટી  36 સેમી વધી


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.