રાજ્ય માટે આગામી 24 કલાક 'ભારે', આજી ડેમ અને ભાદર ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમની સપાટી 36 સેમી વધી


  • Published By :
  • Published Date : 2023-07-23 17:39:57

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સતત અને ભારે વરસાદથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે હજુ થોડા દિવસ મુશળધાર વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 કલાક ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. 23 અને 24 તારીખે વરસાદનું જોર ગુજરાત પર રહ્યા બાદ સિસ્ટમ દૂર થવાથી વરસાદ ઘટી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.


આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ


આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ છે. જેમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ભાવનગરનો સમાવેશ કરાયો છે અહીં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, એવલ્લી, નવસારી, વલસાડ, અને જૂનાગઢ ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવી છે.


આજી નદી ગાંડીતુર બની


રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.


આજી ડેમ 01 અને  ભાદર ડેમ 01 ઓવરફ્લો 


ભારે વરસાદના પગલે રાજકોટ શહેરને પૂરું પાડતો. આજી ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ભાદર ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ભાદર 01 ડેમ રાજકોટ, ગોંડલ, જેતપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. નીચાણવાળા 30 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.


સરદાર સરોવર ડેમની જળ સપાટી  36 સેમી વધી


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.