રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ, અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 10:56:16

રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, છેલ્લા 4-5 દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે- ત્રણ દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4.6 ઇંચ કચ્છના રાપરમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ ફરી એકવખત વરસાદ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.


કયા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો? 


રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા રિપોર્ટ મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 172 mm, બનાસકાંઠાના ભાભરમાં 171 mm અને મહેસાણામાં 164 mm એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 148 mm,વિસાવદર તાલુકામાં 302 mm,રાધનપુર તાલુકામાં 194 mm, દિયોદરમાં 111 mm, ડીસામાં 110 mm, અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં 105 mm, મહેસાણાના વિસનગરમાં 104 mm અને કચ્છના રાપરમાં 102 mm,વિજાપુર તાલુકામાં 96 mm, બનાસકાંઠાના થરાદમાં 94 mm, વડગામમાં 93 mm, સાબરકાંઠાના ઇડરમાં 91 mm, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં 90 mm, ગીર સોમનાથના કોડીનારમાં 86 mm, જૂનાગઢના માલીયા હાતીણામાં 84 mm,પાટણના ચાણસ્મામાં 84 mm, બનાસકાંઠાના દાંતીવાડામાં 83 mm, મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં 81 mm, મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં 80 mm, સુરતના પલસાણામાં 78 mm, આણંદના સોજીત્રામાં 77 mm, પાટણના હારીજમાં 76 mm, ગીર સોમનાથના તલાલામાં અને મહેસાણાના વડનગરમાં 75 mm વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 30 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના રિપોર્ટ છે.


અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો?


ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના રિપોર્ટ છે.


અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.