રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ, અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 10:56:16

રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, છેલ્લા 4-5 દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે- ત્રણ દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4.6 ઇંચ કચ્છના રાપરમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ ફરી એકવખત વરસાદ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.


કયા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો? 


રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા રિપોર્ટ મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 172 mm, બનાસકાંઠાના ભાભરમાં 171 mm અને મહેસાણામાં 164 mm એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 148 mm,વિસાવદર તાલુકામાં 302 mm,રાધનપુર તાલુકામાં 194 mm, દિયોદરમાં 111 mm, ડીસામાં 110 mm, અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં 105 mm, મહેસાણાના વિસનગરમાં 104 mm અને કચ્છના રાપરમાં 102 mm,વિજાપુર તાલુકામાં 96 mm, બનાસકાંઠાના થરાદમાં 94 mm, વડગામમાં 93 mm, સાબરકાંઠાના ઇડરમાં 91 mm, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં 90 mm, ગીર સોમનાથના કોડીનારમાં 86 mm, જૂનાગઢના માલીયા હાતીણામાં 84 mm,પાટણના ચાણસ્મામાં 84 mm, બનાસકાંઠાના દાંતીવાડામાં 83 mm, મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં 81 mm, મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં 80 mm, સુરતના પલસાણામાં 78 mm, આણંદના સોજીત્રામાં 77 mm, પાટણના હારીજમાં 76 mm, ગીર સોમનાથના તલાલામાં અને મહેસાણાના વડનગરમાં 75 mm વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 30 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના રિપોર્ટ છે.


અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો?


ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના રિપોર્ટ છે.


અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.