Gujarat Rain - આજે આ વિસ્તારોમાં વરસી શકે છે અતિભારે વરસાદ! હવામાન વિભાગે કરી Red, Orange, Yellow એલર્ટની જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-07-25 13:33:45

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી! 

તે સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, મહીસાગર, દાહોદ, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાયના અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ તારીખો દરમિયાન અહીંયા પડશે વરસાદ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સિવાય અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 28 તારીખ માટે કરેલી આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



અનેક વિસ્તારોમાં નથી વરસ્યો વરસાદ!

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય વરસાદ વરસ્યો છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી આવ્યા છે અનેક વિસ્તારોમાં. સુરત, કચ્છ, વડોદરા,ભરૂચ જેવા વિસ્તારોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે એકદમ ભયંકર છે. જ્યાં વરસાદ છે ત્યાં અત્યંત ભયંકર વરસાદ છે અને જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદની પ્રતીક્ષા લોકો કરી રહ્યા છે.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.