Gujarat Rain : ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! આ વિસ્તારો માટે આગામી કલાકો ભારે.. ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-07-19 12:26:25

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો... ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં વરસ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અહીંયા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

તે સિવયાની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢના કેશોદ તેમજ વંથલીમાં સાત સાત ઈંચ વરસાદ થયો છે. તે સિવાય સૂત્રાપાડા તેમજ માણાવદરમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. આગામી થોડા કલાકો ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ તેમજ યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા. પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ અને ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"