Gujarat Rain : ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! આ વિસ્તારો માટે આગામી કલાકો ભારે.. ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-07-19 12:26:25

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો... ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં વરસ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અહીંયા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

તે સિવયાની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢના કેશોદ તેમજ વંથલીમાં સાત સાત ઈંચ વરસાદ થયો છે. તે સિવાય સૂત્રાપાડા તેમજ માણાવદરમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. આગામી થોડા કલાકો ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ તેમજ યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા. પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ અને ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.