Gujarat Rain : ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! આ વિસ્તારો માટે આગામી કલાકો ભારે.. ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-07-19 12:26:25

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો... ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં વરસ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અહીંયા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

તે સિવયાની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢના કેશોદ તેમજ વંથલીમાં સાત સાત ઈંચ વરસાદ થયો છે. તે સિવાય સૂત્રાપાડા તેમજ માણાવદરમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. આગામી થોડા કલાકો ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ તેમજ યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા. પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ અને ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.