Gujarat Rain : ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! આ વિસ્તારો માટે આગામી કલાકો ભારે.. ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-07-19 12:26:25

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો... ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી હતી. 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં વરસ્યો છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તે સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અહીંયા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

તે સિવયાની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત જૂનાગઢના કેશોદ તેમજ વંથલીમાં સાત સાત ઈંચ વરસાદ થયો છે. તે સિવાય સૂત્રાપાડા તેમજ માણાવદરમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. આગામી થોડા કલાકો ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.



આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ તેમજ યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય બનાસકાંઠા. પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ અને ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.