Gujarat Rain - આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું Orange-Yellow એલર્ટ, જાણો 13 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By : Admin
  • Published Date : 2024-07-09 16:09:47

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.. વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ આવીને શાંત થઈ જાય છે જેને કારણે લોકોને બફારા તેમજ ઉકળાટનો અહેસાસ થાય છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યત્વેના ભાગો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image


આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


13 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન?

10 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય 11 તારીખે નવસારી, ડાંગ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 12 તેમજ 13 તારીખે પણ માત્ર ગણતરીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

મુંબઈમાં વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. મંબઈમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.. ગઈકાલે થોડા કલાકની અંદર અનેક ઈંચ વરસાદ પડી જતા મુંબઈ થંભી ગયું હતું.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી.. તે સિવાય આસામમાં પણ વરસાદ તબાહી લઈને આવ્યો હતો. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

Image

Image


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.