Gujarat Rain - આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું Orange-Yellow એલર્ટ, જાણો 13 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By : Admin
  • Published Date : 2024-07-09 16:09:47

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.. વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ આવીને શાંત થઈ જાય છે જેને કારણે લોકોને બફારા તેમજ ઉકળાટનો અહેસાસ થાય છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યત્વેના ભાગો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image


આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


13 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન?

10 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય 11 તારીખે નવસારી, ડાંગ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 12 તેમજ 13 તારીખે પણ માત્ર ગણતરીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

મુંબઈમાં વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. મંબઈમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.. ગઈકાલે થોડા કલાકની અંદર અનેક ઈંચ વરસાદ પડી જતા મુંબઈ થંભી ગયું હતું.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી.. તે સિવાય આસામમાં પણ વરસાદ તબાહી લઈને આવ્યો હતો. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

Image

Image


સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.