Gujarat Rain - આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું Orange-Yellow એલર્ટ, જાણો 13 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By : Admin
  • Published Date : 2024-07-09 16:09:47

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.. વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ આવીને શાંત થઈ જાય છે જેને કારણે લોકોને બફારા તેમજ ઉકળાટનો અહેસાસ થાય છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યત્વેના ભાગો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image


આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


13 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન?

10 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય 11 તારીખે નવસારી, ડાંગ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 12 તેમજ 13 તારીખે પણ માત્ર ગણતરીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

મુંબઈમાં વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. મંબઈમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.. ગઈકાલે થોડા કલાકની અંદર અનેક ઈંચ વરસાદ પડી જતા મુંબઈ થંભી ગયું હતું.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી.. તે સિવાય આસામમાં પણ વરસાદ તબાહી લઈને આવ્યો હતો. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

Image

Image


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.