Gujarat Rain - વરસાદે મચાવી તબાહી! અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જાણો આજે ક્યાં માટે કરાઈ વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-20 13:56:54

રાજ્યના અનેક ભાગો એવા છે જ્યાં મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રમાં તો જાણે પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આગામી થોડા દિવસો ભારે વરસાદ વરસી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે., થોડા દિવસો સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 

ક્યાંક મૂશળધાર વરસાદ છે તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા છે.. 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તે કહીએ તો ખોટા નથી પરંતુ માત્ર થોડા વિસ્તારોમાં જ.. અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક સારા વરસાદ માટે લોકો તરસી રહ્યા છે.. આકાશમાં કાળા વાદળો દેખાય છે, આશા બંધાય છે કે વરસાદ આવશે પરંતુ વરસાદ આવતો નથી. આવે છે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો કોઈ જગ્યા પર વરસાદ વરસ્તો જ નથી. 


આજ માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી?

હવામાન વિભાગે આજ માટે કરેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ ઘણી બધી જગ્યાઓ માટે આપવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે કરવામાં આવી છે. તે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ ડાંગ માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.