Gujarat Rain - વરસાદે મચાવી તબાહી! અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જાણો આજે ક્યાં માટે કરાઈ વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-20 13:56:54

રાજ્યના અનેક ભાગો એવા છે જ્યાં મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રમાં તો જાણે પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આગામી થોડા દિવસો ભારે વરસાદ વરસી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે., થોડા દિવસો સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 

ક્યાંક મૂશળધાર વરસાદ છે તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા છે.. 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તે કહીએ તો ખોટા નથી પરંતુ માત્ર થોડા વિસ્તારોમાં જ.. અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક સારા વરસાદ માટે લોકો તરસી રહ્યા છે.. આકાશમાં કાળા વાદળો દેખાય છે, આશા બંધાય છે કે વરસાદ આવશે પરંતુ વરસાદ આવતો નથી. આવે છે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો કોઈ જગ્યા પર વરસાદ વરસ્તો જ નથી. 


આજ માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી?

હવામાન વિભાગે આજ માટે કરેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ ઘણી બધી જગ્યાઓ માટે આપવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે કરવામાં આવી છે. તે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ ડાંગ માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે.. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"