Gujarat Rain : રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, Septemberના આગામી દિવસો માટે Ambalal Patelએ કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2023-09-09 15:19:43

જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનો કોટોકટ સાબિત થયો, પરંતુ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે ખેડૂતોના જીવમાં જીવ ઉમેર્યો છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસવાને કારણે જગતનો તાત ચિંતિત થઈ ગયો હતો પરંતુ સપ્ટેમ્બરમાં ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે. ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસેલા વરસાદે ખેડૂતોને આનંદીત કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી થોડા દિવસો દક્ષિણ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. અનેક દિવસોથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી મેઘમહેર

લાંબા વિરામ બાદ રિસાયેલા મેઘરાજાએ ગુજરાતમાં ફરી પધરામણી કરી છે. છેલ્લા બે દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદ, ડાંગ, મહિસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જગ્યાઓમાં પડેલા અતિભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ જિલ્લાઓમાં વરસ્યો આટલા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદની મહેર જોવા મળી છે. અનેક જિલ્લાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો અનેક તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તે સિવાય જમાલપુર, નરોડા, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આ આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે.  અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ઉત્તરપૂર્વના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 13મી અને 14મી સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સારો વરસાદ થતા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત ડેમની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. 


સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે મેઘમહેર 

વરસાદને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 27 તેમજ 28 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભારેથી અતિભારે વરસાદી ઝાપટાનો સામનો કરવો પડી શકે છે. આખા સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદની મહેર જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.