Gujarat Rain Update : આજે જાણો કયા વિસ્તારો માટે Red , Orange તેમજ Yellow Alert કરાયું જાહેર, ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-07-16 11:24:50

ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.. થોડા સમયથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ હોય તેવું લાગતું હતું પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવું કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે. અનેક જગ્યાઓથી સામે આવેલા દ્રશ્યોને જોતા લાગે કે આ વરસાદી મહેર નથી પરંતુ વરસાદી કહેર છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. 



બફારાથી તેમજ ઉકળાટથી લોકો થયા હતા પરેશાન 

આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા થોડા દિવસ વહેલા થઈ ગયું હતું.. જેને લઈ લોકોને આશા જાગી કે ગરમીથી છુટકારો મળશે.. શરૂઆતના થોડા દિવસ વરસાદ આવ્યો પરંતુ તે બાદ તો જાણે વરસાદ ગાયબ જ થઈ ગયો હોય તેવું લાગ્યું.. બફારાથી તેમજ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..સારો વરસાદ આવે તેની પ્રતિક્ષામાં હતા. વરસાદની સિસ્ટમ આવી પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે સારો વરસાદ પડી રહ્યો ન હતો. પરંતુ થોડા દિવસોથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. 



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

સુરતના ઉમરપાડામાં 14 ઈંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય ભરૂચના નેત્રંગમાં 7.56 ઈંચ વરસાદ, નર્મદાના ગરૂડેશ્વરમાં 5.54 ઈંચ વરસાદ નોંધાયો છે.. નર્મદાના નાંદોદમાં 5.24 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય તિલવાડામાં 4.26 ઈંચ, નવસારીના ચિખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય અનેક વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ નોંધાયો છે. 



જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ આવી શકે છે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. આજે જૂનાગઢ. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, બોટાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાયના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


19 તારીખ સુધી આ વિસ્તારો માટે એલર્ટ કરાયું જાહેર 

17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 18 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19 તારીખે પણ અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.