Gujarat Rain Update : આજે જાણો કયા વિસ્તારો માટે Red , Orange તેમજ Yellow Alert કરાયું જાહેર, ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-07-16 11:24:50

ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.. થોડા સમયથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ હોય તેવું લાગતું હતું પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવું કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે. અનેક જગ્યાઓથી સામે આવેલા દ્રશ્યોને જોતા લાગે કે આ વરસાદી મહેર નથી પરંતુ વરસાદી કહેર છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. 



બફારાથી તેમજ ઉકળાટથી લોકો થયા હતા પરેશાન 

આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા થોડા દિવસ વહેલા થઈ ગયું હતું.. જેને લઈ લોકોને આશા જાગી કે ગરમીથી છુટકારો મળશે.. શરૂઆતના થોડા દિવસ વરસાદ આવ્યો પરંતુ તે બાદ તો જાણે વરસાદ ગાયબ જ થઈ ગયો હોય તેવું લાગ્યું.. બફારાથી તેમજ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..સારો વરસાદ આવે તેની પ્રતિક્ષામાં હતા. વરસાદની સિસ્ટમ આવી પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે સારો વરસાદ પડી રહ્યો ન હતો. પરંતુ થોડા દિવસોથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. 



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

સુરતના ઉમરપાડામાં 14 ઈંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય ભરૂચના નેત્રંગમાં 7.56 ઈંચ વરસાદ, નર્મદાના ગરૂડેશ્વરમાં 5.54 ઈંચ વરસાદ નોંધાયો છે.. નર્મદાના નાંદોદમાં 5.24 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય તિલવાડામાં 4.26 ઈંચ, નવસારીના ચિખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય અનેક વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ નોંધાયો છે. 



જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ આવી શકે છે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. આજે જૂનાગઢ. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, બોટાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાયના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


19 તારીખ સુધી આ વિસ્તારો માટે એલર્ટ કરાયું જાહેર 

17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 18 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19 તારીખે પણ અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.