ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ગોઝારો અકસ્માત, જીપમાં સવાર 19 મુસાફરો પૈકી 9 લોકોના મોત, 10 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-10-15 18:05:20

નવલી નવરાત્રીના પહેલા જ દિવસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક એક ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ છે. જીપની બ્રેક ફેઈલ થતાં ધડાકાભેર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. જીપમાં 19 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના મોત અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની


શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન હદના રતનપુર ચેક પોસ્ટ પાસે બપોરે 3  વાગ્યા આસપાસ આ  ઘટના ઘટી હતી. કલુઝર જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જતી ટ્રક સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હોવાની પ્રાથમિક માહિતી છે. અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની શામળાજી હોસ્પિટલમાં લવાયા  છે. જીપમાં 19 જેટલા મુસાફર સવાર હતા, જેમાં  9 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં જીપની ટ્રક સાથે એટલી જોરદાર ટક્કર થઇ હતી કે જીપ પલટી ગઈ હતી અને તેમાં સવાર 9 લોકો ફંગોળાઈને દૂર દૂર પડયા હતા, જેમાં 9 લોકોને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના રાજસ્થાન રાજ્યની હદમાં બની છે, માટે રાજસ્થાન પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."