ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ગોઝારો અકસ્માત, જીપમાં સવાર 19 મુસાફરો પૈકી 9 લોકોના મોત, 10 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-10-15 18:05:20

નવલી નવરાત્રીના પહેલા જ દિવસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક એક ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ છે. જીપની બ્રેક ફેઈલ થતાં ધડાકાભેર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. જીપમાં 19 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના મોત અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની


શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન હદના રતનપુર ચેક પોસ્ટ પાસે બપોરે 3  વાગ્યા આસપાસ આ  ઘટના ઘટી હતી. કલુઝર જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જતી ટ્રક સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજયા હોવાની પ્રાથમિક માહિતી છે. અન્ય ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની શામળાજી હોસ્પિટલમાં લવાયા  છે. જીપમાં 19 જેટલા મુસાફર સવાર હતા, જેમાં  9 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મૃતકો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં જીપની ટ્રક સાથે એટલી જોરદાર ટક્કર થઇ હતી કે જીપ પલટી ગઈ હતી અને તેમાં સવાર 9 લોકો ફંગોળાઈને દૂર દૂર પડયા હતા, જેમાં 9 લોકોને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના રાજસ્થાન રાજ્યની હદમાં બની છે, માટે રાજસ્થાન પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.