Gujaratમાં તો સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો પરંતુ આ બે જિલ્લાઓમાં જોવા મળી વરસાદની ઘટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-22 11:30:50

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં તો 100 ટકા વરસાદ વરસી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. બે જિલ્લા જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે તે છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. વરસાદની સૌથી વધારે ઘટ આ બે જિલ્લાઓમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે જ્યારે અમદાવાદમાં 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. એક તરફ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે કહેર મચાવ્યો છે તો બીજી તરફ અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. 


અમદાવાદ તેમજ ગાંધીનગરમાં જોવા મળી વરસાદની ઘટ!

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. ખાસકરીને ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી રાજ્ય પર મેહુલો મહેરબાન થયો. મન મૂકીને વરસ્યો. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ તો ખાબકી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યા બાદ પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. એક જિલ્લો છે ગાંધીનગર અને બીજો જિલ્લો છે અમદાવાદ. આ બે જિલ્લાઓમાં વરસાદની ઘટ હજી નોંધાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં 24.29 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 79.41 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં સિઝનનો 72.16 ટકા વરસાદ નોંધાયો હતો. 


જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30.86 ઈંચ વરસાદ વરસ્યો છે. બાવળામાં 12.75 ઈંચ વરસાદ , દસ્ક્રોઈમાં 16.77 ઈંચ વરસાદ, દેત્રોજમાં 12.12 ઈંચ વરસાદ જ્યારે ધંધૂકામાં 32.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરામાં 26.10 ઈંચ વરસાદ, ધોળકામાં 14 ઈંચ વરસાદ જ્યારે માંડલમાં 15.39 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાણંદમાં 19.56 ઈંચ જ્યારે વિરમગામમાં 14.72 ઈંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયામ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.