Gujaratમાં તો સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો પરંતુ આ બે જિલ્લાઓમાં જોવા મળી વરસાદની ઘટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-22 11:30:50

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં તો 100 ટકા વરસાદ વરસી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. બે જિલ્લા જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે તે છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. વરસાદની સૌથી વધારે ઘટ આ બે જિલ્લાઓમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે જ્યારે અમદાવાદમાં 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. એક તરફ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે કહેર મચાવ્યો છે તો બીજી તરફ અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. 


અમદાવાદ તેમજ ગાંધીનગરમાં જોવા મળી વરસાદની ઘટ!

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. ખાસકરીને ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી રાજ્ય પર મેહુલો મહેરબાન થયો. મન મૂકીને વરસ્યો. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ તો ખાબકી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યા બાદ પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. એક જિલ્લો છે ગાંધીનગર અને બીજો જિલ્લો છે અમદાવાદ. આ બે જિલ્લાઓમાં વરસાદની ઘટ હજી નોંધાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં 24.29 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 79.41 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં સિઝનનો 72.16 ટકા વરસાદ નોંધાયો હતો. 


જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30.86 ઈંચ વરસાદ વરસ્યો છે. બાવળામાં 12.75 ઈંચ વરસાદ , દસ્ક્રોઈમાં 16.77 ઈંચ વરસાદ, દેત્રોજમાં 12.12 ઈંચ વરસાદ જ્યારે ધંધૂકામાં 32.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરામાં 26.10 ઈંચ વરસાદ, ધોળકામાં 14 ઈંચ વરસાદ જ્યારે માંડલમાં 15.39 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાણંદમાં 19.56 ઈંચ જ્યારે વિરમગામમાં 14.72 ઈંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયામ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.