Gujaratમાં તો સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો પરંતુ આ બે જિલ્લાઓમાં જોવા મળી વરસાદની ઘટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-22 11:30:50

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં તો 100 ટકા વરસાદ વરસી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. બે જિલ્લા જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે તે છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. વરસાદની સૌથી વધારે ઘટ આ બે જિલ્લાઓમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે જ્યારે અમદાવાદમાં 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. એક તરફ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે કહેર મચાવ્યો છે તો બીજી તરફ અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. 


અમદાવાદ તેમજ ગાંધીનગરમાં જોવા મળી વરસાદની ઘટ!

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો જેને કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. ખાસકરીને ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી રાજ્ય પર મેહુલો મહેરબાન થયો. મન મૂકીને વરસ્યો. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ તો ખાબકી ગયો પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યા બાદ પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. એક જિલ્લો છે ગાંધીનગર અને બીજો જિલ્લો છે અમદાવાદ. આ બે જિલ્લાઓમાં વરસાદની ઘટ હજી નોંધાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં 24.29 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 79.41 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં સિઝનનો 72.16 ટકા વરસાદ નોંધાયો હતો. 


જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30.86 ઈંચ વરસાદ વરસ્યો છે. બાવળામાં 12.75 ઈંચ વરસાદ , દસ્ક્રોઈમાં 16.77 ઈંચ વરસાદ, દેત્રોજમાં 12.12 ઈંચ વરસાદ જ્યારે ધંધૂકામાં 32.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરામાં 26.10 ઈંચ વરસાદ, ધોળકામાં 14 ઈંચ વરસાદ જ્યારે માંડલમાં 15.39 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાણંદમાં 19.56 ઈંચ જ્યારે વિરમગામમાં 14.72 ઈંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયામ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.