Gujarat: Loksabha Election પહેલા ભાજપમાં થશે ભરતી મેળો! અટકળો તેજ બની કે મોટા નેતાઓ કરી શકે છે કેસરિયો ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 10:10:46

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અને પછી જોડ-તોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આપરેશન લોટસની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન લોટસ અંતર્ગત બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે, થોડા સમય પહેલા આ અંગેની કમિટી પણ રચવામાં આવી જેની કમાન ભરત બોઘરાને આપવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે અર્જુન ખાટરીયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. 

રાજકોટ જિ.પં.ના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલાં  કોંગ્રેસે હકાલપટ્ટી કરી

અપક્ષના ત્રણ ધારાસભ્યો આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ થોડા સમય સુધી આ રાજીનામાનો દોર શાંત રહ્યો. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. તે બાદ રાજકારણ ગરમાયું. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયો ધારણ કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના અર્જુન ખાટડિયા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. પોતાના સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં આગળ શું નવા જુની થાય છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે