Gujarat: Loksabha Election પહેલા ભાજપમાં થશે ભરતી મેળો! અટકળો તેજ બની કે મોટા નેતાઓ કરી શકે છે કેસરિયો ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 10:10:46

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અને પછી જોડ-તોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આપરેશન લોટસની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન લોટસ અંતર્ગત બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે, થોડા સમય પહેલા આ અંગેની કમિટી પણ રચવામાં આવી જેની કમાન ભરત બોઘરાને આપવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે અર્જુન ખાટરીયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. 

રાજકોટ જિ.પં.ના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલાં  કોંગ્રેસે હકાલપટ્ટી કરી

અપક્ષના ત્રણ ધારાસભ્યો આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ થોડા સમય સુધી આ રાજીનામાનો દોર શાંત રહ્યો. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. તે બાદ રાજકારણ ગરમાયું. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયો ધારણ કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના અર્જુન ખાટડિયા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. પોતાના સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં આગળ શું નવા જુની થાય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.