Gujarat: Loksabha Election પહેલા ભાજપમાં થશે ભરતી મેળો! અટકળો તેજ બની કે મોટા નેતાઓ કરી શકે છે કેસરિયો ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 10:10:46

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અને પછી જોડ-તોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આપરેશન લોટસની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન લોટસ અંતર્ગત બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે, થોડા સમય પહેલા આ અંગેની કમિટી પણ રચવામાં આવી જેની કમાન ભરત બોઘરાને આપવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે અર્જુન ખાટરીયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. 

રાજકોટ જિ.પં.ના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલાં  કોંગ્રેસે હકાલપટ્ટી કરી

અપક્ષના ત્રણ ધારાસભ્યો આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ થોડા સમય સુધી આ રાજીનામાનો દોર શાંત રહ્યો. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. તે બાદ રાજકારણ ગરમાયું. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયો ધારણ કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના અર્જુન ખાટડિયા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. પોતાના સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં આગળ શું નવા જુની થાય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.