ભ્રષ્ટાચાર,અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નીકળેલા કૌરવોની યાત્રાને ગુજરાતે નકારી - કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:27:07

ગુજરાતમાં ભાજપ ગૌરવ યાત્રા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ફૂલ ફલેજમાં આવી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જઈ પ્રચાર નથી કરી રહી, પરંતુ ટ્વિટર પણ એક્ટિવ થઈ ભાજપનો વિરોધ કરી રહી છે. ગૌરવ યાત્રા પર કોંગ્રેસ અનેક પ્રહાર કરી રહ્યું છે. મતદારોને રિઝવવા તેમજ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચવા આ યાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

  

ખાલી ખુરશીના બહાને કોંગ્રેસે કર્યો ગૌરવ યાત્રા પર પ્રહાર   

દિનપ્રતિદિન ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા ચર્ચાનો વિષય બની રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ યાત્રા પર કટાક્ષ કર્યા હતા. જીગ્નેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકર હોય કોંગ્રેસના તમામ નેતાઓ ગૌરવ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરી છે જેમાં ગૌરવ યાત્રા દરમિયાન ખાલી પડેલી ખુર્શી બતાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નિકળી કૌરવ યાત્રાને ગુજરાતે નકારી, હવે ગુજરાત પરિવર્તન મક્કમ. 

ચૂંટણી પ્રચારમાં મહાભારતના પાત્રોનો થઈ રહ્યો છે ઉપયોગ 

મહત્વનું છે હજી સુધી મહાભારતના પાત્રોનો ઉલ્લેખ આમ આદમી પાર્ટી અને ભાજપ કરતી હતી. પરંતુ આ રેસમાં કોંગ્રેસ પણ સામેલ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંસની ઓલાદો કહીં ભાજપ પર નિશાન સાધ્તા હતા ત્યારે કોંગ્રેસે ભાજપની તુલના કૌરવની સાથે કરી દીધી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિવસેને દિવસે મહાભારતના પાત્રોનો ઉપયોગ એક બીજા પર પ્રહાર કરવા માટે થઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આની પર શું પ્રતિક્રિયા આપે છે.  પોતાના પ્રચારમાં મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરવો કેટલા અંશે યોગ્ય છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે