ભ્રષ્ટાચાર,અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નીકળેલા કૌરવોની યાત્રાને ગુજરાતે નકારી - કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:27:07

ગુજરાતમાં ભાજપ ગૌરવ યાત્રા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ફૂલ ફલેજમાં આવી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જઈ પ્રચાર નથી કરી રહી, પરંતુ ટ્વિટર પણ એક્ટિવ થઈ ભાજપનો વિરોધ કરી રહી છે. ગૌરવ યાત્રા પર કોંગ્રેસ અનેક પ્રહાર કરી રહ્યું છે. મતદારોને રિઝવવા તેમજ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચવા આ યાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

  

ખાલી ખુરશીના બહાને કોંગ્રેસે કર્યો ગૌરવ યાત્રા પર પ્રહાર   

દિનપ્રતિદિન ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા ચર્ચાનો વિષય બની રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ યાત્રા પર કટાક્ષ કર્યા હતા. જીગ્નેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકર હોય કોંગ્રેસના તમામ નેતાઓ ગૌરવ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરી છે જેમાં ગૌરવ યાત્રા દરમિયાન ખાલી પડેલી ખુર્શી બતાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નિકળી કૌરવ યાત્રાને ગુજરાતે નકારી, હવે ગુજરાત પરિવર્તન મક્કમ. 

ચૂંટણી પ્રચારમાં મહાભારતના પાત્રોનો થઈ રહ્યો છે ઉપયોગ 

મહત્વનું છે હજી સુધી મહાભારતના પાત્રોનો ઉલ્લેખ આમ આદમી પાર્ટી અને ભાજપ કરતી હતી. પરંતુ આ રેસમાં કોંગ્રેસ પણ સામેલ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંસની ઓલાદો કહીં ભાજપ પર નિશાન સાધ્તા હતા ત્યારે કોંગ્રેસે ભાજપની તુલના કૌરવની સાથે કરી દીધી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિવસેને દિવસે મહાભારતના પાત્રોનો ઉપયોગ એક બીજા પર પ્રહાર કરવા માટે થઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આની પર શું પ્રતિક્રિયા આપે છે.  પોતાના પ્રચારમાં મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરવો કેટલા અંશે યોગ્ય છે.  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"