ભ્રષ્ટાચાર,અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નીકળેલા કૌરવોની યાત્રાને ગુજરાતે નકારી - કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:27:07

ગુજરાતમાં ભાજપ ગૌરવ યાત્રા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ફૂલ ફલેજમાં આવી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જઈ પ્રચાર નથી કરી રહી, પરંતુ ટ્વિટર પણ એક્ટિવ થઈ ભાજપનો વિરોધ કરી રહી છે. ગૌરવ યાત્રા પર કોંગ્રેસ અનેક પ્રહાર કરી રહ્યું છે. મતદારોને રિઝવવા તેમજ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચવા આ યાત્રા કાઢવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

  

ખાલી ખુરશીના બહાને કોંગ્રેસે કર્યો ગૌરવ યાત્રા પર પ્રહાર   

દિનપ્રતિદિન ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા ચર્ચાનો વિષય બની રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ યાત્રા પર કટાક્ષ કર્યા હતા. જીગ્નેશ મેવાણી હોય કે ગેનીબેન ઠાકર હોય કોંગ્રેસના તમામ નેતાઓ ગૌરવ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરી છે જેમાં ગૌરવ યાત્રા દરમિયાન ખાલી પડેલી ખુર્શી બતાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારનો વિકાસ કરી ગૌરવ લેવા નિકળી કૌરવ યાત્રાને ગુજરાતે નકારી, હવે ગુજરાત પરિવર્તન મક્કમ. 

ચૂંટણી પ્રચારમાં મહાભારતના પાત્રોનો થઈ રહ્યો છે ઉપયોગ 

મહત્વનું છે હજી સુધી મહાભારતના પાત્રોનો ઉલ્લેખ આમ આદમી પાર્ટી અને ભાજપ કરતી હતી. પરંતુ આ રેસમાં કોંગ્રેસ પણ સામેલ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંસની ઓલાદો કહીં ભાજપ પર નિશાન સાધ્તા હતા ત્યારે કોંગ્રેસે ભાજપની તુલના કૌરવની સાથે કરી દીધી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિવસેને દિવસે મહાભારતના પાત્રોનો ઉપયોગ એક બીજા પર પ્રહાર કરવા માટે થઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આની પર શું પ્રતિક્રિયા આપે છે.  પોતાના પ્રચારમાં મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરવો કેટલા અંશે યોગ્ય છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.