Gujarat : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 14:16:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.આ બધા વચ્ચે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

  


કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકીટ

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાતો હોય છે. અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જતા રહે છે ત્યારે આજે કોંગ્રેસે ગુજરાત માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી, તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી આપી હતી. ઉમેદવારીની તો ના પાડી પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. 


થોડા સમય પહેલા આપી દીધું હતું રાજીનામું 

રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાશે તેની પર નજર હતી ત્યારે આજે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી દીધો છે. દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  



સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.