Gujarat : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 14:16:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.આ બધા વચ્ચે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

  


કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકીટ

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાતો હોય છે. અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જતા રહે છે ત્યારે આજે કોંગ્રેસે ગુજરાત માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી, તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી આપી હતી. ઉમેદવારીની તો ના પાડી પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. 


થોડા સમય પહેલા આપી દીધું હતું રાજીનામું 

રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાશે તેની પર નજર હતી ત્યારે આજે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી દીધો છે. દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.