Gujarat : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 14:16:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.આ બધા વચ્ચે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

  


કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકીટ

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાતો હોય છે. અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જતા રહે છે ત્યારે આજે કોંગ્રેસે ગુજરાત માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી, તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી આપી હતી. ઉમેદવારીની તો ના પાડી પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. 


થોડા સમય પહેલા આપી દીધું હતું રાજીનામું 

રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાશે તેની પર નજર હતી ત્યારે આજે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી દીધો છે. દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.