Gujarat : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 14:16:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.આ બધા વચ્ચે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

  


કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકીટ

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાતો હોય છે. અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જતા રહે છે ત્યારે આજે કોંગ્રેસે ગુજરાત માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી, તેમના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી આપી હતી. ઉમેદવારીની તો ના પાડી પરંતુ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. 


થોડા સમય પહેલા આપી દીધું હતું રાજીનામું 

રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાશે તેની પર નજર હતી ત્યારે આજે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી દીધો છે. દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે