Gujaratના હવામાનમાં આવશે ગરમાવો! આગામી દિવસોમાં વધી શકે છે ગરમી, જાણો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-19 16:25:01

ગુજરાતના હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે... આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે અને ચાર દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે....


ચાર દિવસ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આગામી દિવસો દરમિયાન આ પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસો  તાપમાન યથાવત રહેશે અને તે બાદ 2થી3 ડિગ્રીનો વધારો થશે..


કયા નોંધાઈ શકે છે 44 ડિગ્રીની આસપાસ તાપમાન?

ગરમીને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જે મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.... પરેશ ગોસ્વામીની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.. તેમની આગાહી અનુસાર જે જગ્યાનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તે વિસ્તારો છે - રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમી વધારે વધી રહી છે.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે