Gujaratના હવામાનમાં આવશે ગરમાવો! આગામી દિવસોમાં વધી શકે છે ગરમી, જાણો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-19 16:25:01

ગુજરાતના હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે... આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે અને ચાર દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે....


ચાર દિવસ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આગામી દિવસો દરમિયાન આ પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસો  તાપમાન યથાવત રહેશે અને તે બાદ 2થી3 ડિગ્રીનો વધારો થશે..


કયા નોંધાઈ શકે છે 44 ડિગ્રીની આસપાસ તાપમાન?

ગરમીને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જે મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.... પરેશ ગોસ્વામીની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.. તેમની આગાહી અનુસાર જે જગ્યાનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તે વિસ્તારો છે - રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમી વધારે વધી રહી છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.