કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત! અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:20:20

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. દિવસ દરમિયાન તો ગરમીનો માર સહન કરવો પડે છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી અનુભવાય છે... રાત્રે પણ ગરમ પવન વહે છે.. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે... ત્રાહિમામ પોકારી ગયા છે.. આજે પણ અમદાવાદ સહિત અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું. 46 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન પહોંચ્યું હતું...


દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ગરમી ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવી રહી છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી પૂરવાર થઈ રહી છે.. આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.. તાપમાનનો પારો 46 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.. 



આ જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે.. હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી દિવસો દરમિયાન કચ્છ, બનાસકાંઠા. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, રાજકોટ,  ભાવનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3, ગાંધીનગરનું તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું હતું.. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, સુરતનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું છે.. ત્યાં તાપમાનનો પારો 46.1 પર પહોંચી ગયો છે.. અમરેલીનું તાપમાન 44.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.. 


ડિહાઈડ્રેશન ના થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. અચાનક ચક્કર ખાઈને ઢળી પડે અને મોતને અનેક લોકો ભેટી રહ્યા છે... કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત બને તેટલું વધારે પાણી પીવું જોઈએ.. બોડીમાં ડિ  હાઈડ્રેશન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. જો ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ...    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .