કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત! અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:20:20

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. દિવસ દરમિયાન તો ગરમીનો માર સહન કરવો પડે છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી અનુભવાય છે... રાત્રે પણ ગરમ પવન વહે છે.. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે... ત્રાહિમામ પોકારી ગયા છે.. આજે પણ અમદાવાદ સહિત અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું. 46 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન પહોંચ્યું હતું...


દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ગરમી ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવી રહી છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી પૂરવાર થઈ રહી છે.. આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.. તાપમાનનો પારો 46 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.. 



આ જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે.. હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી દિવસો દરમિયાન કચ્છ, બનાસકાંઠા. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, રાજકોટ,  ભાવનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3, ગાંધીનગરનું તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું હતું.. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, સુરતનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું છે.. ત્યાં તાપમાનનો પારો 46.1 પર પહોંચી ગયો છે.. અમરેલીનું તાપમાન 44.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.. 


ડિહાઈડ્રેશન ના થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. અચાનક ચક્કર ખાઈને ઢળી પડે અને મોતને અનેક લોકો ભેટી રહ્યા છે... કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત બને તેટલું વધારે પાણી પીવું જોઈએ.. બોડીમાં ડિ  હાઈડ્રેશન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. જો ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ...    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે