કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત! અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:20:20

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. દિવસ દરમિયાન તો ગરમીનો માર સહન કરવો પડે છે પરંતુ રાત્રીના સમયે પણ ગરમી અનુભવાય છે... રાત્રે પણ ગરમ પવન વહે છે.. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે... ત્રાહિમામ પોકારી ગયા છે.. આજે પણ અમદાવાદ સહિત અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું હતું. 46 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન પહોંચ્યું હતું...


દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

ગરમી ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવી રહી છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગે છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી પૂરવાર થઈ રહી છે.. આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.. તાપમાનનો પારો 46 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.. 



આ જગ્યાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગાહી અનુસાર આગામી દિવસો દરમિયાન પણ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે.. હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી દિવસો દરમિયાન કચ્છ, બનાસકાંઠા. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, રાજકોટ,  ભાવનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું જ્યારે ડીસાનું તાપમાન 44.3, ગાંધીનગરનું તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું હતું.. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, સુરતનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટનું નોંધાયું છે.. ત્યાં તાપમાનનો પારો 46.1 પર પહોંચી ગયો છે.. અમરેલીનું તાપમાન 44.9 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.8 ડિગ્રી નોંધાયું હતું.. 


ડિહાઈડ્રેશન ના થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે.. અચાનક ચક્કર ખાઈને ઢળી પડે અને મોતને અનેક લોકો ભેટી રહ્યા છે... કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત બને તેટલું વધારે પાણી પીવું જોઈએ.. બોડીમાં ડિ  હાઈડ્રેશન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.. જો ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ...    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.