Gujarat: આટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં કરી સરવાળાની ભૂલ, શિક્ષકોને ફટકારવામાં આવ્યો કરોડોનો દંડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-07 10:40:41

નાનપણમાં આપણને શિક્ષક સરવાળો કરવાનું શિખવાડતા હતા. પાયાનું જ્ઞાન શિક્ષક આપણને આપતા હતા પરંતુ આજે એવા શિક્ષકોની વાત કરવી છે જેમને સરવાળો કરતા નથી આવડતું! વાત એમ છે કે એવા શિક્ષકોને દંડવામાં આવ્યા છે જેમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનાર 9218 શિક્ષકોને દંડિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શિક્ષકો પાસેથી કુલ 1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે.  



શિક્ષકોને ફટકારવામાં આવ્યો દંડ!

વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના માર્ક્સનું મહત્વ હોય છે. આ માર્ક્સના આધાર પર લાઈન નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત ઓછા માર્ક્સ હોવાને કારણે વિદ્યાર્થી લાઈન નથી લઈ શકતા. આન્સરશીટના સરવાળામાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીના માર્ક્સ ઘટી જતા હોય છે. ત્યારે સરવાળામાં ભૂલ કરવા બદલ શિક્ષકોને દંડ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં આ વાતને લઈ  પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. 



ધોરણ 10 અને ધોરણ 12ના આટલા શિક્ષકોએ કરી સરવાળામાં ભૂલ!

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. ધારાસભ્યના પ્રશ્ને કારણે સામે આવ્યું કે શિક્ષકોને સરવાળો કરતા નથી આવડતો, સરવાળામાં ભૂલ થાય છે!પ્રશ્નનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકોએ જ્યારે ધોરણ 12માં 5868 શિક્ષકોએ સરવાળામાં ભૂલ કરી છે.  ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 9218 શિક્ષકોએ માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.