Gujarat: આટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં કરી સરવાળાની ભૂલ, શિક્ષકોને ફટકારવામાં આવ્યો કરોડોનો દંડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-07 10:40:41

નાનપણમાં આપણને શિક્ષક સરવાળો કરવાનું શિખવાડતા હતા. પાયાનું જ્ઞાન શિક્ષક આપણને આપતા હતા પરંતુ આજે એવા શિક્ષકોની વાત કરવી છે જેમને સરવાળો કરતા નથી આવડતું! વાત એમ છે કે એવા શિક્ષકોને દંડવામાં આવ્યા છે જેમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનાર 9218 શિક્ષકોને દંડિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શિક્ષકો પાસેથી કુલ 1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે.  



શિક્ષકોને ફટકારવામાં આવ્યો દંડ!

વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના માર્ક્સનું મહત્વ હોય છે. આ માર્ક્સના આધાર પર લાઈન નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત ઓછા માર્ક્સ હોવાને કારણે વિદ્યાર્થી લાઈન નથી લઈ શકતા. આન્સરશીટના સરવાળામાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીના માર્ક્સ ઘટી જતા હોય છે. ત્યારે સરવાળામાં ભૂલ કરવા બદલ શિક્ષકોને દંડ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં આ વાતને લઈ  પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. 



ધોરણ 10 અને ધોરણ 12ના આટલા શિક્ષકોએ કરી સરવાળામાં ભૂલ!

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. ધારાસભ્યના પ્રશ્ને કારણે સામે આવ્યું કે શિક્ષકોને સરવાળો કરતા નથી આવડતો, સરવાળામાં ભૂલ થાય છે!પ્રશ્નનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકોએ જ્યારે ધોરણ 12માં 5868 શિક્ષકોએ સરવાળામાં ભૂલ કરી છે.  ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 9218 શિક્ષકોએ માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.    



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .