Gujaratના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, જાણો Ahmedabad સહિતના શહેરોમાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-18 10:28:03

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે ગુજરાતીઓને થવા લાગ્યો છે. કોઈ વખત તાપમાનના પારામાં વધારો થાય છે જેને કારણે ઠંડી ઓછી લાગે છે પરંતુ હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો હતો જેને કારણે ઓછી ઠંડી લાગતી હતી પરંતુ આજે તાપમાનનો પારો ગગડી શકે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ફરીથી ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.


15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન!

ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને હવે થઈ રહ્યો છે. પહેલા ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ હવે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે! રવિવારે ઓછી ઠંડી હોય તેવું લાગતું હતું પરંતુ આવનાર દિવસોમાં હાડ થીજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 9 જેટલા શહેરો એવા છે જ્યાંનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઓછું નોધાયું છે. 


રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

જો શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પાર 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 15.6 નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 20.2 જ્યારે ડીસાનું 12.6 ડિગ્રી નોંધાયું છે. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.0, દમણનું તાપમાન 18.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 11.0 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 17.0 ડિગ્રી, ઓખાનું તાપમાન 22.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 16.2 ડિગ્રી, દીવનું તાપમાન 18.4 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 15.4, રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. 


22થી 24 ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે માવઠું! 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર બાદ 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માહિના દરમિયાન હવામાનમાં ઘણા પલટા આવી શકે છે તેવી સંભાવના છે. વધુમાં તેમણે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા છે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.