Gujaratના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, જાણો Ahmedabad સહિતના શહેરોમાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-18 10:28:03

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે ગુજરાતીઓને થવા લાગ્યો છે. કોઈ વખત તાપમાનના પારામાં વધારો થાય છે જેને કારણે ઠંડી ઓછી લાગે છે પરંતુ હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો હતો જેને કારણે ઓછી ઠંડી લાગતી હતી પરંતુ આજે તાપમાનનો પારો ગગડી શકે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ફરીથી ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.


15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન!

ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને હવે થઈ રહ્યો છે. પહેલા ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ હવે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે! રવિવારે ઓછી ઠંડી હોય તેવું લાગતું હતું પરંતુ આવનાર દિવસોમાં હાડ થીજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 9 જેટલા શહેરો એવા છે જ્યાંનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઓછું નોધાયું છે. 


રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

જો શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પાર 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 15.6 નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 20.2 જ્યારે ડીસાનું 12.6 ડિગ્રી નોંધાયું છે. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.0, દમણનું તાપમાન 18.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 11.0 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 17.0 ડિગ્રી, ઓખાનું તાપમાન 22.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 16.2 ડિગ્રી, દીવનું તાપમાન 18.4 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 15.4, રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. 


22થી 24 ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે માવઠું! 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર બાદ 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માહિના દરમિયાન હવામાનમાં ઘણા પલટા આવી શકે છે તેવી સંભાવના છે. વધુમાં તેમણે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.