Gujaratના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, જાણો Ahmedabad સહિતના શહેરોમાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-18 10:28:03

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે ગુજરાતીઓને થવા લાગ્યો છે. કોઈ વખત તાપમાનના પારામાં વધારો થાય છે જેને કારણે ઠંડી ઓછી લાગે છે પરંતુ હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો હતો જેને કારણે ઓછી ઠંડી લાગતી હતી પરંતુ આજે તાપમાનનો પારો ગગડી શકે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ફરીથી ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.


15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન!

ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને હવે થઈ રહ્યો છે. પહેલા ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ હવે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે! રવિવારે ઓછી ઠંડી હોય તેવું લાગતું હતું પરંતુ આવનાર દિવસોમાં હાડ થીજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 9 જેટલા શહેરો એવા છે જ્યાંનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઓછું નોધાયું છે. 


રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

જો શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પાર 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 15.6 નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 20.2 જ્યારે ડીસાનું 12.6 ડિગ્રી નોંધાયું છે. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.0, દમણનું તાપમાન 18.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 11.0 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 17.0 ડિગ્રી, ઓખાનું તાપમાન 22.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 16.2 ડિગ્રી, દીવનું તાપમાન 18.4 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 15.4, રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. 


22થી 24 ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે માવઠું! 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર બાદ 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માહિના દરમિયાન હવામાનમાં ઘણા પલટા આવી શકે છે તેવી સંભાવના છે. વધુમાં તેમણે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.