Gujaratના શિક્ષકોને અપાઈ CPR Training, વધી રહેલા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-12-03 16:31:13

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકને કારણે મોત ભેટી રહ્યા છે તો વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે  થઈ રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના મોત થઈ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે લાખથી વધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 17 ડિસેમ્બરે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.         

બાળકોને આવી રહ્યા છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યાં એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે છે. પરંતુ કોરોના બાદ તો આ વાત ખોટી સાબિત થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક એવા કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. બાળકોમાં વધી રહેલા હૃદયહુમલાને કારણે શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. 

શિક્ષકોને આપવામાં આવી સીપીઆરની ટ્રેનિંગ

એવું માનવામાં આવે છે કે જો તરત સારવાર મળી રહે તો જીવ બચી શકતો હોય છે. સીપીઆર આપતા જો આવડતું હોય તો અનેક વખત પ્રાથમિક સારવારથી જીવ બચાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રીએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે. તે ઉપરાંત બે લાખ જેટલા શિક્ષકોને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વનું છે કે હવે બાળકોના જીવ બચાવવાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી રહી છે!      



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.