Gujaratના શિક્ષકોને અપાઈ CPR Training, વધી રહેલા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-12-03 16:31:13

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકને કારણે મોત ભેટી રહ્યા છે તો વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે  થઈ રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના મોત થઈ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે લાખથી વધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 17 ડિસેમ્બરે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.         

બાળકોને આવી રહ્યા છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યાં એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે છે. પરંતુ કોરોના બાદ તો આ વાત ખોટી સાબિત થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક એવા કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. બાળકોમાં વધી રહેલા હૃદયહુમલાને કારણે શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. 

શિક્ષકોને આપવામાં આવી સીપીઆરની ટ્રેનિંગ

એવું માનવામાં આવે છે કે જો તરત સારવાર મળી રહે તો જીવ બચી શકતો હોય છે. સીપીઆર આપતા જો આવડતું હોય તો અનેક વખત પ્રાથમિક સારવારથી જીવ બચાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રીએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે. તે ઉપરાંત બે લાખ જેટલા શિક્ષકોને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વનું છે કે હવે બાળકોના જીવ બચાવવાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી રહી છે!      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.