આવતી કાલે Gujaratના શિક્ષકોને અપાશેCPR Training, વધતા Heart Attackને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-02 11:40:41

કોરોના બાદ રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરે બાળકો તેમજ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે. લોકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પહેલા પોલીસ કર્મીને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી ત્યારે હવે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. આવતી કાલે તેમજ 17 ડિસેમ્બરના રોજ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

શિક્ષકોને આપવામાં આવશે સીપીઆરની ટ્રેનિંગ 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. આ અંગે એક વીડિયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.  

3 અને 17 ડિસેમ્બરે ટ્રેનિંગ અભિયાનનું કરાયું છે આયોજન   

હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અને 17 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યની 37 મેડિકલ કોલેજોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર કોઈને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકતો હોય છે. આપણે પોલીસ જવાનના અનેક એવા વીડિયો જોયા હશે જેમાં વ્યક્તિને સીપીઆર આપવામાં આવે છે અને તે વ્યક્તિનો જીવ બચી જાય છે!  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.