આવતી કાલે Gujaratના શિક્ષકોને અપાશેCPR Training, વધતા Heart Attackને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-02 11:40:41

કોરોના બાદ રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરે બાળકો તેમજ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે. લોકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પહેલા પોલીસ કર્મીને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી ત્યારે હવે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. આવતી કાલે તેમજ 17 ડિસેમ્બરના રોજ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

શિક્ષકોને આપવામાં આવશે સીપીઆરની ટ્રેનિંગ 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. આ અંગે એક વીડિયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.  

3 અને 17 ડિસેમ્બરે ટ્રેનિંગ અભિયાનનું કરાયું છે આયોજન   

હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અને 17 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યની 37 મેડિકલ કોલેજોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર કોઈને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકતો હોય છે. આપણે પોલીસ જવાનના અનેક એવા વીડિયો જોયા હશે જેમાં વ્યક્તિને સીપીઆર આપવામાં આવે છે અને તે વ્યક્તિનો જીવ બચી જાય છે!  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.