Gujarat: રાજ્ય સરકારે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી, 21 દિવસનું રહેશે વેકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 20:06:12

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની ઘોષણા કરી છે. રાજ્યની શાળાઓમાં 21 દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી હવે વાલીઓ વેકેશન ગાળવા માટે અત્યારથી જ ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ કરાવી શકે છે.


જિલ્લા શિક્ષણ વિભાગને પરિપત્ર  


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે  21 દિવસનું  રહેશે. વેકેશનમાં દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.30મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.


તમામ શાળાઓમાં આ મુજબ રહેશે વેકેશન 

 

 રાજ્યના પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સંકલનમાં રહી સૂચવ્યા મુજબના વેકેશનની તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી રહી શકે. સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિભર, અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓમાં પણ આ મુજબનું વેકેશન રહેશે. દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી