Gujarat : સરકારી વિભાગોમાં છે 50થી 60 ટકા કર્મચારીઓની ઘટ!પરીક્ષા પદ્ધતિને લઈ મુખ્ય સચિવે કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 11:52:15

એક તરફ સરકાર દ્વારા રોજગારી આપવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ અનેક એવી જગ્યાઓ છે જ્યાં સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવી. લાખો લોકો ભરતીની રાહ જોતા હોય છે. અનેક વખત ભરતી પ્રક્રિયાની જાહેરાત થાય છે પરંતુ કોઈને કોઈ વાતને લઈ અનેક એવી ભરતીઓ છે જેને રદ્દ કરવામાં આવી છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈ મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન દિવસ પર આયોજીત કાર્યકમમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. ત્યારે આવતા વર્ષ સુધી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે. મુખ્ય સચિવ રાજકુમારે જાહેરાત કરી છે.


4 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે!

વિવિધ ભાગોમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી થાય તે માટે પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. અનેક ભરતી પ્રક્રિયાઓ એવી પણ છે જેમાં ગેરરીતિ થયા હોવાને કારણે તેને રદ્દ કરવામાં આવે. અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં ગેરરીતિ થઈ હોય અને છેલ્લે યુવાનોને ભોગવવાનો વારો આવે છે. સરકારના વિવિધ વિભાગો એવા છે જ્યાં કર્મચારીઓની ઘટ છે. કર્મચારી ન હોવાને કારણે અનેક કામો અટકી જતા હોય છે. ત્યારે ઘટ મુદ્દે મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્વીકાર્યું છે કે અનેક વિભાગોમાં 50થી 60 ટકાની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. જુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.