Gujarat : સરકારી વિભાગોમાં છે 50થી 60 ટકા કર્મચારીઓની ઘટ!પરીક્ષા પદ્ધતિને લઈ મુખ્ય સચિવે કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 11:52:15

એક તરફ સરકાર દ્વારા રોજગારી આપવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ અનેક એવી જગ્યાઓ છે જ્યાં સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવી. લાખો લોકો ભરતીની રાહ જોતા હોય છે. અનેક વખત ભરતી પ્રક્રિયાની જાહેરાત થાય છે પરંતુ કોઈને કોઈ વાતને લઈ અનેક એવી ભરતીઓ છે જેને રદ્દ કરવામાં આવી છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈ મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન દિવસ પર આયોજીત કાર્યકમમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. ત્યારે આવતા વર્ષ સુધી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે. મુખ્ય સચિવ રાજકુમારે જાહેરાત કરી છે.


4 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે!

વિવિધ ભાગોમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી થાય તે માટે પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. અનેક ભરતી પ્રક્રિયાઓ એવી પણ છે જેમાં ગેરરીતિ થયા હોવાને કારણે તેને રદ્દ કરવામાં આવે. અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં ગેરરીતિ થઈ હોય અને છેલ્લે યુવાનોને ભોગવવાનો વારો આવે છે. સરકારના વિવિધ વિભાગો એવા છે જ્યાં કર્મચારીઓની ઘટ છે. કર્મચારી ન હોવાને કારણે અનેક કામો અટકી જતા હોય છે. ત્યારે ઘટ મુદ્દે મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્વીકાર્યું છે કે અનેક વિભાગોમાં 50થી 60 ટકાની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. જુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.