Gujarat : સરકારી વિભાગોમાં છે 50થી 60 ટકા કર્મચારીઓની ઘટ!પરીક્ષા પદ્ધતિને લઈ મુખ્ય સચિવે કરી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 11:52:15

એક તરફ સરકાર દ્વારા રોજગારી આપવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ અનેક એવી જગ્યાઓ છે જ્યાં સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવી. લાખો લોકો ભરતીની રાહ જોતા હોય છે. અનેક વખત ભરતી પ્રક્રિયાની જાહેરાત થાય છે પરંતુ કોઈને કોઈ વાતને લઈ અનેક એવી ભરતીઓ છે જેને રદ્દ કરવામાં આવી છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈ મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન દિવસ પર આયોજીત કાર્યકમમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. ત્યારે આવતા વર્ષ સુધી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે. મુખ્ય સચિવ રાજકુમારે જાહેરાત કરી છે.


4 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે!

વિવિધ ભાગોમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી થાય તે માટે પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. અનેક ભરતી પ્રક્રિયાઓ એવી પણ છે જેમાં ગેરરીતિ થયા હોવાને કારણે તેને રદ્દ કરવામાં આવે. અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં ગેરરીતિ થઈ હોય અને છેલ્લે યુવાનોને ભોગવવાનો વારો આવે છે. સરકારના વિવિધ વિભાગો એવા છે જ્યાં કર્મચારીઓની ઘટ છે. કર્મચારી ન હોવાને કારણે અનેક કામો અટકી જતા હોય છે. ત્યારે ઘટ મુદ્દે મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્વીકાર્યું છે કે અનેક વિભાગોમાં 50થી 60 ટકાની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. જુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.