ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ યુવાનો સાથે રમી ક્રિકેટ! ગલી ક્રિકેટ રમતા ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-04 13:14:49

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગાંધીનગર ખાતે પ્રેક્ટિસ કરતા દેખાયા હતા. મહાત્મા મંદિર પાસે આવેલા મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં ખેલાડી દેખાયા હતા. તેમની પ્રેક્ટિસ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની જેમ ખેલાડીઓ મેચ રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ત્યારે મહાત્મા મંદિર વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતા તે દરમિયાન ગલીમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો તેમને દેખાયા અને તેમની સાથે ક્રિકેટરોએ મેચ રમી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા ગુજરાત ટાઈટન્સના ખેલાડી!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ રમાઈ હતી. અનેક દર્શકોએ મેચને નિહાળી હતી. ત્યારે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખેલાડીઓ મેચ સામાન્ય લોકો સાથે રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે મેચ રમી હતી. યુવાનોને મેચ રમતા જોઈને ક્રિકેટરો પોતાને રોકી શક્યા ન હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચ સિવાય પણ ખેલાડીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણતા દેખાયા હતા.      


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આઈપીએલને જોવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. હજારોની ટિકિટ ખર્ચીને ખેલાડીઓને જોવા માટે લોકો જતા હોય છે. પરંતુ આ યુવાનો સાથે તો રમવા ખુદ ખેલાડીઓ સામેથી આવ્યા હતા. ખેલાડીઓને અચાનક પોતાની સામે જોતા યુવાનો અચંબિત થઈ ગયા હતા. યુવાનોએ ખેલાડીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.