ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ યુવાનો સાથે રમી ક્રિકેટ! ગલી ક્રિકેટ રમતા ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-04 13:14:49

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગાંધીનગર ખાતે પ્રેક્ટિસ કરતા દેખાયા હતા. મહાત્મા મંદિર પાસે આવેલા મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં ખેલાડી દેખાયા હતા. તેમની પ્રેક્ટિસ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની જેમ ખેલાડીઓ મેચ રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ત્યારે મહાત્મા મંદિર વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતા તે દરમિયાન ગલીમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો તેમને દેખાયા અને તેમની સાથે ક્રિકેટરોએ મેચ રમી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા ગુજરાત ટાઈટન્સના ખેલાડી!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ રમાઈ હતી. અનેક દર્શકોએ મેચને નિહાળી હતી. ત્યારે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખેલાડીઓ મેચ સામાન્ય લોકો સાથે રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે મેચ રમી હતી. યુવાનોને મેચ રમતા જોઈને ક્રિકેટરો પોતાને રોકી શક્યા ન હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચ સિવાય પણ ખેલાડીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણતા દેખાયા હતા.      


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આઈપીએલને જોવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. હજારોની ટિકિટ ખર્ચીને ખેલાડીઓને જોવા માટે લોકો જતા હોય છે. પરંતુ આ યુવાનો સાથે તો રમવા ખુદ ખેલાડીઓ સામેથી આવ્યા હતા. ખેલાડીઓને અચાનક પોતાની સામે જોતા યુવાનો અચંબિત થઈ ગયા હતા. યુવાનોએ ખેલાડીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.