ગુજરાત ટ્રાફિક પોલીસ હવે દંડ નહીં વસૂલેઃ ગૃહ મંત્રાલય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:34:33

સમગ્ર ગુજરાત જ્યારે દિવાળીનો પાવન પર્વ ઉજવવા તૈયાર બેઠું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી બાબતે ગૃહમંત્રાલય તરફથી ભેટ આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા ટ્રાફિક સિગ્નલ પર દંડ નહીં લેવાનો નિર્ણય લીધો છે. 


લોકોને ભૂલ સમજાય માટે પોલીસ ફૂલ અપાશે

ગુજરાત પોલીસના ગૃહ વિભાગથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 27 ઓક્ટોબર સુધી ગુજરાતના કોઈ પણ પોલીસ મથક પર પોલીસ દંડ નહીં વસૂલે. દિવાળીનો સમય છે માટે લોકોને દંડમાંથી છૂટ આપવામાં આવી છે. તહેવારોના સમયમાં લોકો ગામડે જતા હોય છે, તહેવાર મનાવતા હોય છે. ગામડેથી લોકો ફરવા માટે શહેરોમાં આવતા હોય છે ત્યારે હર્ષ સંઘવીએ 27 ઓક્ટોબર સુધી કોઈ પણ દંડ ન લેવાની જાહેરાત કરી છે. 


ગુજરાતના ગામડાઓમાં કે તાલુકા વિસ્તારોમાં કોઈ સિગ્નલની વ્યવસ્થા નથી જોવા મળતી કારણ કે તે વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઓછું હોય છે. મહાનગરોમાં ટ્રાફિકનું ભારણ વધુ હોવાના કારણે તેમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમો ગામડામાં નથી હોતા પરંતુ શહેરોમાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જે નિયમોનું પાલન નથી કરતા તેને ઓનલાઈન ઈ-મેમો આપાય છે અથવા તો ટ્રાફિક પોલીસ સ્થળ પરથી જ વાહન રોકીને દંડ વસૂલતી હોય છે. ત્યારે ચાર દિવસ માટે લોકોને છૂટ આપવામાં આવી છે તો લોકો પોલીસના ટ્રાફિક નિયમો અને આ સમય દરમિયાન કેવો વ્યવહાર કરશે તે જોવાનું રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે