ગુજરાત ટ્રાફિક પોલીસ હવે દંડ નહીં વસૂલેઃ ગૃહ મંત્રાલય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:34:33

સમગ્ર ગુજરાત જ્યારે દિવાળીનો પાવન પર્વ ઉજવવા તૈયાર બેઠું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી બાબતે ગૃહમંત્રાલય તરફથી ભેટ આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા ટ્રાફિક સિગ્નલ પર દંડ નહીં લેવાનો નિર્ણય લીધો છે. 


લોકોને ભૂલ સમજાય માટે પોલીસ ફૂલ અપાશે

ગુજરાત પોલીસના ગૃહ વિભાગથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 27 ઓક્ટોબર સુધી ગુજરાતના કોઈ પણ પોલીસ મથક પર પોલીસ દંડ નહીં વસૂલે. દિવાળીનો સમય છે માટે લોકોને દંડમાંથી છૂટ આપવામાં આવી છે. તહેવારોના સમયમાં લોકો ગામડે જતા હોય છે, તહેવાર મનાવતા હોય છે. ગામડેથી લોકો ફરવા માટે શહેરોમાં આવતા હોય છે ત્યારે હર્ષ સંઘવીએ 27 ઓક્ટોબર સુધી કોઈ પણ દંડ ન લેવાની જાહેરાત કરી છે. 


ગુજરાતના ગામડાઓમાં કે તાલુકા વિસ્તારોમાં કોઈ સિગ્નલની વ્યવસ્થા નથી જોવા મળતી કારણ કે તે વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઓછું હોય છે. મહાનગરોમાં ટ્રાફિકનું ભારણ વધુ હોવાના કારણે તેમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમો ગામડામાં નથી હોતા પરંતુ શહેરોમાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જે નિયમોનું પાલન નથી કરતા તેને ઓનલાઈન ઈ-મેમો આપાય છે અથવા તો ટ્રાફિક પોલીસ સ્થળ પરથી જ વાહન રોકીને દંડ વસૂલતી હોય છે. ત્યારે ચાર દિવસ માટે લોકોને છૂટ આપવામાં આવી છે તો લોકો પોલીસના ટ્રાફિક નિયમો અને આ સમય દરમિયાન કેવો વ્યવહાર કરશે તે જોવાનું રહેશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.