ગુજરાત ટ્રાફિક પોલીસ હવે દંડ નહીં વસૂલેઃ ગૃહ મંત્રાલય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:34:33

સમગ્ર ગુજરાત જ્યારે દિવાળીનો પાવન પર્વ ઉજવવા તૈયાર બેઠું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી બાબતે ગૃહમંત્રાલય તરફથી ભેટ આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા ટ્રાફિક સિગ્નલ પર દંડ નહીં લેવાનો નિર્ણય લીધો છે. 


લોકોને ભૂલ સમજાય માટે પોલીસ ફૂલ અપાશે

ગુજરાત પોલીસના ગૃહ વિભાગથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 27 ઓક્ટોબર સુધી ગુજરાતના કોઈ પણ પોલીસ મથક પર પોલીસ દંડ નહીં વસૂલે. દિવાળીનો સમય છે માટે લોકોને દંડમાંથી છૂટ આપવામાં આવી છે. તહેવારોના સમયમાં લોકો ગામડે જતા હોય છે, તહેવાર મનાવતા હોય છે. ગામડેથી લોકો ફરવા માટે શહેરોમાં આવતા હોય છે ત્યારે હર્ષ સંઘવીએ 27 ઓક્ટોબર સુધી કોઈ પણ દંડ ન લેવાની જાહેરાત કરી છે. 


ગુજરાતના ગામડાઓમાં કે તાલુકા વિસ્તારોમાં કોઈ સિગ્નલની વ્યવસ્થા નથી જોવા મળતી કારણ કે તે વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઓછું હોય છે. મહાનગરોમાં ટ્રાફિકનું ભારણ વધુ હોવાના કારણે તેમાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમો ગામડામાં નથી હોતા પરંતુ શહેરોમાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જે નિયમોનું પાલન નથી કરતા તેને ઓનલાઈન ઈ-મેમો આપાય છે અથવા તો ટ્રાફિક પોલીસ સ્થળ પરથી જ વાહન રોકીને દંડ વસૂલતી હોય છે. ત્યારે ચાર દિવસ માટે લોકોને છૂટ આપવામાં આવી છે તો લોકો પોલીસના ટ્રાફિક નિયમો અને આ સમય દરમિયાન કેવો વ્યવહાર કરશે તે જોવાનું રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.